________________
પ્રતિક્રમણની વિધિ-હેતુઓ સહિત
૧૧
સાધકનું ચિત્ત થઈ ગયેલા પાપો પ્રત્યે અત્યંત ધૃણા અને તિરસ્કારવાળું બને છે. આ તિરસ્કારનો ભાવ જ પાપોનો નાશ કરવા સમર્થ બને છે. કેમ કે, નિયમ એવો છે કે જે ભાવથી પાપ બાંધ્યા હોય, તેનાથી વિરુદ્ધભાવ તે પાપનો નાશ કરવા સમર્થ બને, તેથી રુચિપૂર્વક કરેલા પાપો તે પાપ પ્રત્યેની અરુચિ, ધૃણા, જુગુપ્સા કે તિરસ્કારના ભાવથી નાશ પામે છે.
પ્રતિક્રમણની ક્રિયા અખબારી અહેવાલ જેવી છે. જેમ અખબારી અહેવાલમાં હેડીંગ, ટૂંકી સમરી અને પછી વિગતવાર સમાચાર આવે છે, તેમ પ્રતિક્રમણમાં પણ સૌ પ્રથમ “સબ્યસ્ત વિ' સૂત્ર દ્વારા એકદમ ટૂંકમાં દુષ્ટ મન, વચન, કાયાના સમસ્ત દિોષોનું સ્મરણ કરી મિચ્છામિ દુક્કડ દેવાય છે. ત્યાર પછી “ઇચ્છામિ ઠામિ' સૂત્ર દ્વારા તે જ પાપોને થોડા વિસ્તારથી વિચારવામાં આવે છે અને અંતે “વંદિતુ સૂત્ર દ્વારા વિસ્તૃત રીતે પાપનું આલોચન કરી પ્રતિક્રમણ કરાય છે. " જેમ અહેવાલ આપનારે વિશ્વભરની વિગતથી માહિતગાર રહેવું પડે છે. તેમ - પ્રતિક્રમણ કરનારે પોતાના મન-જગતમાં ચાલતા વિચારો, વાણીના સર્વ વ્યવહારો અને કાયાના સર્વ વ્યાપારોથી માહિતગાર રહેવું પડે છે અને તેમાં ક્યાં ખોટું થયું, કયા કષાયને આધીન થઈ દોષ સેવાયો, મારા વ્રત-નિયમમાં ક્યાં અલના થઈ વગેરેની નોંધ રાખવી પડે છે. તો જ તે સાચું પ્રતિક્રમણ કરી શકે છે. દિવસભર પોતાની પ્રવૃત્તિ પ્રત્યે બેદરકાર રહેનાર કદી સાચું પ્રતિક્રમણ કરી શકતો નથી. ૫. પહેલું આવશ્યક - સામાયિક અને દોષોની ધારણા ૧. ત્યારપછી ઊભા થઈ ‘કરેમિ ભંતે' સૂત્ર “ઈચ્છામિ ઠામિ કાઉસ્સગ્ગ',
‘તસ્સઉત્તરી', તથા “અન્નત્થ' સૂત્ર બોલી પંચાચારના અતિચારો
વિચારવા માટેની ગાથાઓવાળા ‘નાણમિ સૂત્રનો કાઉસ્સગ્ન કરવો . (ગાથાઓ ન આવડતી હોય તો આઠ નવકારનો કાઉસ્સગ્ન કરવો).
પ્રતિક્રમણના નામે ઓળખાતી આ ક્રિયા છે આવશ્યક સ્વરૂપ છે. આ આવશ્યકોનો પ્રારંભ અહીંથી થાય છે. તેથી પ્રતિક્રમણની સ્થાપના કર્યા પછી સાધક ઊભો થઈ સામાયિક નામના પ્રથમ આવશ્યકનું સ્મરણ કરવા “કરેમિ ભંતે' સૂત્ર બોલે છે. તે દ્વારા હું સામાયિકમાં છું, સાવદ્ય કાર્ય નહિ કરવાની અને સમતાના ભાવમાં રહેવાની ભારે પ્રતિજ્ઞા છે તે વાતને સ્મરણમાં લાવે છે. આ આવશ્યક દ્વારા