________________
સૂત્ર સંવેદના-૬.
ત્યારબાદ શ્રાવક શ્રી સંઘના અંગભૂત અને પોતાને પણ આ ક્રિયામાં સહાયક બનનારા સર્વ સાધર્મિકો પ્રત્યે આદર, સદ્ભાવ અને કૃતજ્ઞતાનો ભાવ વ્યક્ત કરવા માટે તેમને નમસ્કાર કરે છે.
લોકમાં પણ જોવા મળે છે કે, રાજાદિ મુખ્ય પુરુષોનો વિનય કરી કાર્યનો પ્રારંભ કરવામાં આવે તો કાર્ય સિદ્ધ થાય છે. તેમ આધ્યાત્મિક ક્ષેત્રે પણ આત્મશુદ્ધિને પામેલા દેવ-ગુરુને પ્રણામ કરીને કાર્ય કરવાથી સફળતા મળે છે. આ જ હેતુથી અહીં દેવ-ગુરુને વંદન કરવારૂપ મંગળ ક્રિયા કર્યા પછી જ પ્રતિક્રમણની મુખ્ય ક્રિયાનો પ્રારંભ થાય છે. ૪. પ્રતિક્રમણની સ્થાપના - સંક્ષિપ્ત પ્રતિક્રમણ : "
ત્યારપછી ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ દેવસિઅપડિક્કમણે ઠાઉં ?” એમ કહી પ્રતિક્રમણની સ્થાપના કરવા અંગે આજ્ઞા માગવી અને ગુરુભગવંત ‘ઠાએહ' એમ કહે, ત્યારે ‘ૐ’ કહી જમણો હાથ ચરવળા ઉપર સ્થાપીને તથા મસ્તક નીચું નમાવીને ‘સબસ્સ વિ
સૂત્ર' બોલવું. સાધના જીવનના દરેક કાર્યો ગુરુને પોતાની ઇચ્છા જણાવી, તેમની આજ્ઞા મેળવી પછી જ કરવાના છે. તેથી આત્મશુદ્ધિને ઇચ્છતો સાધક સૌ પ્રથમ વિનયપૂર્વક ગુરુભગવંતને પ્રતિક્રમણ કરવાની પોતાની ઇચ્છા જણાવવા આદેશ માગે અને અનુજ્ઞા મેળવી વિધિપૂર્વક પ્રતિક્રમણની ક્રિયા કરી પાપથી પાછા વળી આત્માને શુદ્ધ કરવાનું પ્રણિધાન કરે છે. '
આત્મશુદ્ધિ કરવાની શિષ્યની ભાવના જાણીને, ગુરુભગવંત પણ યોગ્ય શિષ્યના ભાવોલ્લાસની વૃદ્ધિ માટે ‘વાદ' કહી અનુજ્ઞા આપે છે. અનુજ્ઞા પ્રાપ્ત થતાં આનંદમાં આવેલો શિષ્ય “ઇચ્છે' કહી આજ્ઞાનો સ્વીકાર કરે છે. ગુરુભગવંતે મને પાપથી પાછા ફરવાની આજ્ઞા આપી છે' એવો ભાવ ધારણ કરી, શિષ્ય વૃક્ષ જેમ ફળોના ભારથી નમી જાય છે તેમ પાપના ભારથી નમી ગયો હોય તેવી નમ્ર મુદ્રા ધારણ કરી ચરવળા પર હાથ સ્થાપીને મસ્તકને નીચું નમાવીને ગુરુભગવંતના ચરણોમાં પડી પાપોની નિંદા કરવા માટે ભાવપૂર્વક સવ વિ' સૂત્ર બોલે છે. આ સૂત્ર પ્રતિક્રમણનું બીજ છે. કેમ કે, તેમાં સઘળાએ પાપોનું સામાન્યથી ભેગું “મિચ્છા મિ દુક્કડ' દેવાય છે. આ સૂત્ર બોલતાં