SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ પચ્ચક્ખાણનાં સૂત્રો ક્યારેક નિમિત્તોની અસર થતાં મન નબળું પડ્યું હોય તો પણ લોક-લાજે મક્કમ થવાય છે. વળી, વ્રતપાલનમાં જેઓ અડગ છે, તેવા મહાપુરુષોના મુખે પ્રતિજ્ઞા કરવાથી તપાલન માટેનું વીર્ય ઉલ્લસિત થાય છે. ૨૦૧ ઉપરાંત યાદ રાખવું જોઈએ કે, જે ક્ષણે કોઈપણ અનુચિત કાર્યથી અટકવાના શુભ સંકલ્પથી પચ્ચક્ખાણ ક૨ાય છે, તે જ ક્ષણથી આત્મામાં શુભ ભાવનો સ્રોત ચાલુ થઈ જાય છે અને આ શુભભાવથી પચ્ચક્ખાણ ક૨ના૨ને સતત શુભકર્મનોપુણ્યકર્મનો બંધ ચાલુ રહે છે; પરંતુ પચ્ચક્ખાણ ન કરનાર તો આવા પુણ્યબંધથી વંચિત જ રહે છે. વળી, પચ્ચક્ખાણ ભાંગી જશે તો એવા ડરથી જેઓ પચ્ચક્ખાણ કરતાં ખચકાય છે તેઓને શાસ્ત્રકાર કહે છે કે, પચ્ચક્ખાણ કરીને તેને પાળવાની ભાવના હોવા છતાં ક્યારેક અજાણતા પચ્ચક્ખાણ ભાંગી જાય, તો એવું પાપ નથી બંધાતું કે જેવું પાપ પચ્ચક્ખાણ ન કરનાર સતત બાંધ્યા કરે છે.1 ભરતમહારાજા અને મરુદેવા માતા પચ્ચક્ખાણ વિના મોક્ષમાં ગયા તે વાત સાચી છે; પરંતુ ભરતમહારાજાએ છેલ્લા ભવમાં જ પચ્ચક્ખાણ આદિ ક્રિયાઓ . નહોતી કરી, પણ તે પૂર્વના ભવમાં તો તેઓશ્રીએ વારંવાર પચ્ચકૂખાણ કરી ઘોર તપ કર્યો હતો. માતા મરુદેધાને ચોક્કસ ક્યારેય પચ્ચક્ખાણ આદિ વિરતિની ક્રિયાઓનો આશ્રય લીધા વિના કેવળજ્ઞાનૃ થયું હતું પરંતુ તે એક અચ્છેરું હતું. એટલે કે પચ્ચક્ખાણ વિના કોઈ મોક્ષે પહોંચી જાય તે જવલ્લે જ બને છે. જ્યારે વ્રત-નિયમનું પાલન કરી મોક્ષમાં ગયાના દાખલા ઘણા જોવા મળે છે. માટે નબળા મનના માનવીઓને તો પચ્ચક્ખાણ લઈ તેનું પાલન કરવું તે જ હિતાવહ છે. પચ્ચક્ખાણને સંપૂર્ણ રીતે સમજવા તેના અર્થ સાથે તેના પ્રકારો, તેની વિધિ, 1 ...મવિહિયા વમત્રં, અસૂચવવાં મળતિ સવ્વરૢ । પાયચ્છિન્ન ખન્ના, અદ્ ગુરુછ્યું ! હુબં ।। (નીવાનુશાસને-૬) યોગવિંશિકા ગાથા-૧૫ વૃત્તૌ ‘અવિધિથી ક૨વા કરતાં ન કરવું સારું’ (‘પચ્ચક્ખાણમાં દોષ લગાડવા કરતાં પચ્ચક્ખાણ ન કરવું સારું’) - એવા વચનને સર્વજ્ઞ પ્રભુ ઉત્સૂત્ર કહે છે. કારણ કે, નહિ કરનારને મોટું પ્રાયશ્ચિત્ત કહ્યું છે, જ્યારે (અવિધિથી પણ) કરનારને નાનું પ્રાયશ્ચિત્ત બતાવ્યું છે. 2 પંચવસ્તુ ગાતા ૯૨૪ થી ૯૨૯
SR No.005840
Book TitleSutra Samvedana Part 06
Original Sutra AuthorN/A
AuthorPrashamitashreeji
PublisherSanmarg Prakashan
Publication Year
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy