________________
સૂત્ર સંવેદના-૬
. ૩. પછી ‘નમોડલ્થ સં' સૂત્ર કહી, ઊભા થઈને ‘અરિહંતચેઈઆણં' સૂત્ર તથા
અન્નત્થ સૂત્ર' બોલીને એક નવકારનો કાઉસ્સગ્ન કરવો અને યથાવિધિ પારી, ‘નમોહનો પાઠ બોલી પ્રથમ થોય કહેવી. અન્ય સાધકોએ
થોય સાંભળી કાઉસ્સગ્ગ પારવો. ૪. ત્યારપછી અનુક્રમે “લોગસ્સ સૂત્ર', ‘સવ્વલોએ અરિહંતચેઈઆણં સૂત્ર'
અને “અન્નત્થ સૂત્ર'નું ઉચ્ચારણ કરી, પુનઃ એક નવકારનો કાઉસ્સગ્ગ
કરવો અને પૂર્વવત્ પારીને બીજી થોય કહેવી. ૫. ત્યારબાદ “પુષ્પરવરદીવઢે સૂત્ર, ‘સુઅસ્સે ભગવઓ કરેમિ કાઉસ્સગ્ગ'
અને “અન્નત્થ સૂત્ર' બોલી એક નવકારનો કાઉસ્સગ્ન કરી, તેને પૂર્વવત્
પારીને ત્રીજી થોય કહેવી. ૬. તે પછી ‘સિદ્ધાણં બુદ્ધાણં સૂત્ર', “વેયાવચ્ચગરાણં સૂત્ર” અને “અન્નત્ય
સૂત્ર' બોલી એક નવકારનો કાઉસ્સગ કરી, તેને પૂર્વવત્ પારી ચોથી
થોય કહેવી. ૭. અંતે યોગમુદ્રામાં બેસીને “નમોડલ્થ ણ સૂત્ર' કહેવું.
આત્મશુદ્ધિ માટે કરાતી આ ક્રિયા અત્યંત શ્રેયકારી છે. કહેવાય છે કે, “યંતિ વહ વિન' અનાદિ સંસારમાં ભમતાં જીવે ઘણા પાપકર્મ બાંધ્યા છે. આ પાપકર્મ શ્રેયકારી કાર્યોમાં વિઘ્નો ઊભા કરે છે. પ્રતિક્રમણની ક્રિયા કરતા કોઈ વિઘ્ન ન આવે અને ક્રિયાને સફળ બનાવી, સાધક આત્મશુદ્ધિ કરી શકે તે માટે અહીં મંગલાચરણરૂપ દેવવંદન કરવામાં આવે છે. વળી, સાધકનું લક્ષ્ય દોષોનો નાશ કરી ગુણ પ્રાપ્ત કરવાનું છે. તેથી જેમણે સર્વ દોષોનો નાશ કરી આત્માના અનંત ગુણો પ્રગટ કર્યા છે તે અરિહંત પરમાત્માને વંદના કરવારૂપે મંગલાચરણ કરાય છે.
દેવવંદનની ક્રિયા બાર વિભાગમાં વહેંચાયેલી છે. તેની વિગતવાર સમજણ, વિશેષ હેતુઓ અને તે બોલતી વખતે કેવી સંવેદનાઓ અનુભવવી જોઈએ તે સર્વ બાબતો સૂત્ર સંવેદના ભાગ-રમાં સવિસ્તર આપેલી છે. તેથી અહીં તેને દોહરાવી નથી; પરંતુ જિજ્ઞાસુ અને પ્રતિક્રમણને ફળપ્રદ બનાવવા ઇચ્છતા તમામ સાધકે તેનો અભ્યાસ કરી લેવો. ટૂંકમાં દેવવંદનની ક્રિયામાં 'ભાવજિન, દ્રજિન, સ્થાપનાજિન, નામજિન, "ત્રણે ભુવનના જિનબિંબો, વિહરમાન તીર્થકરો,