________________
પ્રતિક્રમણની વિધિ-હેતુઓ સહિત
દેવારૂપ દ્વાદશાવર્ત વંદન કરી, ગુરુભગવંત પાસે શક્તિ અનુસાર પચ્ચક્ખાણ
કરાય છે.
પચ્ચક્ખાણ કરતી વખતે સાધક વિચારે કે,
‘સર્વ પાપનું મૂળ આ આહારની આક્તિ છે. આહારની આક્તિના કારણે જ હિંસાદિ પાપો કરવા પડે છે. तोयएग જ્યાં સુધી હું શરીર સાથે સંકળાયેલો છું, ત્યાં સુધી મારા માટે સર્વથા આહારનો ત્યાગ કરવો શકય નથી. આમ છતાં રાત્રિ દરમ્યાન તો ક્તિ અનુસાર આહારનો ત્યાગ કરું,'
આમ વિચારી સાધક ચોવિહાર વગેરેનું તથા અન્ય સર્વ પાપના સંકોચ માટે દેશાવગાસિકનું પચ્ચક્ખાણ કરે છે.
જિજ્ઞાસા : પચ્ચક્ખાણ આવશ્યક છઠ્ઠું અર્થાત્ છેલ્લું છે, તોપણ સૌ પ્રથમ શા માટે કરવામાં આવે છે ?
તૃપ્તિ : સૂર્યાસ્ત પહેલાં લીધેલું પચ્ચક્ખાણ જ શુદ્ધ ગણાય; હવે જો છએ આવશ્યકના ક્રમ પ્રમાણે છેલ્લે પચ્ચક્ખાણ ક૨વામાં આવે તો કાળવિલંબ થવાથી શુદ્ધ પચ્ચક્ખાણ ન થઈ શકે, એ અવિધિથી બચવા માટે પ્રથમ પચ્ચક્ખાણ ગ્રહણ કરવામાં આવે છે.
૩. દેવવંદન તથા ગુરુવંદન :
૧. પ્રથમ ખમાસમણ દઈ, ‘ઇચ્છાકારેણ સંદિસહ ભગવત્ ચૈત્યવંદન કરું ?' એમ કહી ગુરુભગવંત પાસે ચૈત્યવંદન કરવાની આજ્ઞા માગવી. ગુરુ કહે ‘કરેહ’ એટલે ‘ઇચ્છું’ કહી યોગમુદ્રામાં ચૈત્યવંદનનો પ્રારંભ કરવો.
૨. ત્યારપછી વડિલે મંગલરૂપ આદ્ય સ્તુતિરૂપે ‘સકલકુશલવલ્લી’ બોલી ભાવવૃદ્ધિનું કારણ બને તેવું ચૈત્યવંદન બોલી, તીર્થવંદનસૂત્ર-જંકિંચિ સૂત્ર બોલવું.
4. યોગમુદ્રા.
अन्नुणंतरि अंगुलि कोसागारेहिं दोहिं हत्थेहिं ।
पिट्टोवरि कुप्परि सं-ठिएहिं तह जोगमुद्द त्ति ।। १५ ।।
चैत्यवंदन महाभाष्य / भाष्य
અન્યોન્યાંતરિત અંગુલી, એટલે બે હાથની દશે અંગુલિ અન્યોન્ય અંતરિત કરી કમળના ડોડાને આકારે જોડેલા એવા બે હાથ તથા પેટ ઉપર કોણી સંસ્થિત (સ્થાપી) છે જેની (જેણે) એવા પ્રકારે રહેવું તે યોગમુદ્રા જાણવી.”
k
-