________________
સૂત્ર સંવેદના-૬
પૂર્વક મુહપત્તિની પડિલેહણા કરાય છે. પડિલેહણા કરીને ગુરુભગવંત પાસે સામાયિકમાં રહેવાની આજ્ઞા મેળવવા માટે એક-એક ખમાસમણ પૂર્વક “સામાયિક સંદિસાહું ?” અને “સામાયિક ઠાઉં?” ના આદેશ મંગાય છે. ગુરુભગવંતની રજા મળતાં, સામાયિક દ્વારા સમભાવને સિદ્ધ કરવામાં કોઈ અંતરાય ઊભો ન થાય તે માટે મંગલસ્વરૂપ એક નવકાર ગણીને, ગુરુભગવંત પાસે કરેમિ ભંતે સૂત્ર' દ્વારા સામાયિકની એટલે કે ૪૮ મિનિટ માટે સર્વ પાપવ્યાપારનાં ત્યાગની પ્રતિજ્ઞા કરવામાં આવે છે.
પાપવ્યાપારનો ત્યાગ કર્યા પછી સામાયિકમાં સમભાવની સાધના માટે જે સ્વાધ્યાયાદિ કરવાના છે, તે સ્વાધ્યાયાદિ સ્થિરતાપૂર્વક ઊભાં-ઊભાં કરવાની શક્તિ ન હોવાથી એક-એક ખમાસમણ દઈ ‘બેસણે સંદિસાહું ?” અને “બેસણું ઠાઉં?” એમ બે આદેશ માંગવા દ્વારા, ગુરુભગવંત પાસે બેસવાની અનુજ્ઞા મેળવાય છે. છેલ્લે એક-એક ખમાસમણ દઈને “સક્ઝાય સંદિસાહું ?” અને “સઝાય કરું?' ના આદેશ દ્વારા સામાયિક દરમ્યાન સ્વાધ્યાય કરવાની અનુજ્ઞા લેવાય છે. ૨. પચ્ચકખાણ : ૧. પછી જો દિવસ દરમ્યાન પાણી વાપર્યું હોય તો મુહપત્તિનું પડિલેહણ કરવું. ૨. જો આહાર વાપર્યો હોય તો મુહપત્તિનું પડિલેહણ કર્યા પછી બે વાર “સુગુરુ-વંદણ સૂત્ર' બોલીને દ્વાદશાવર્ત વંદન કરવું. તેમાં બીજીવાર સૂત્ર
બોલતાં “આવસ્સિયાએ પદ ન બોલવું. ૩. ત્યારપછી અવગ્રહમાં જ ઊભા રહીને “ઈચ્છકારી ભગવન્! પસાય કરી પચ્ચખાણનો આદેશ દેશોજી' એમ વિનંતી કરી. ગુરુમુખે અથવા તેવો યોગ ન હોય તો સ્વયં યથાશક્તિ પચ્ચખ્ખાણ કરીને અવગ્રહની બહાર
નીકળવું. પચ્ચકખાણ આહારાદિના ત્યાગની પ્રતિજ્ઞારૂપ છે. ત્યાગી મહાત્માઓની પાસે કે તેમની સાક્ષીએ આ પ્રતિજ્ઞા કરવાથી તેમાં વિશેષ દૃઢતા આવે છે, માટે ત્યાગી ગુરુભગવંત પાસે પચ્ચખાણ કરવું જોઈએ.
પચ્ચક્ખાણ કરતા પૂર્વે ગુરુનો વિનય કરવો અનિવાર્ય છે. વિનય માટે વંદન કરવું જરૂરી છે અને વંદન કરતાં પૂર્વે કાયા તથા મુખસ્વસ્ત્રિકાનું પ્રતિલેખન આવશ્યક છે. આથી સૌ પ્રથમ મુહપત્તિનું પડિલેહણ કરી, ત્યારબાદ બે વાંદરા