________________
પૌષધ પારવાનું સૂત્ર
૧૭૩
દઢતા ! પ્રાછાનો ત્યાગ કર્યો પણ વ્રતનો ત્યાગ ન કર્યો અને ધીક્કાર છે મારી જાતને કે થોડીક પ્રતિકૂળતા આવતો મેં વતનું યોગ્ય ખલન ન કર્યું. એક માખી કે મચ્છર પણ શરીર પર બેઠું ત્યાં તો શરીરની મમતાને કારણે મેં તેમને પીડા પમાડી છે. મેં સમતાનો ભાવ ગુમાવી દીધો છે. આજે સાગરચંદ્રજીને યાદ કરી સંકલ્પ કરું છું કે, ભવિષ્યમાં આવા નાના નાના દોષથી બચી શુદ્ધ વ્રત પાળવા માટે યત્ન કરીશ.” જાનો - શ્રી કામદેવ શ્રાવક ભગવાન મહાવીરના એક લાખ ઓગણસાઠ હજાર શ્રાવકોમાંના મુખ્ય દસ શ્રાવકમાં કામદેવ શ્રાવકની ગણના થાય છે. તેઓશ્રી વ્રત પાલનમાં અતિદઢ હતા. પહેલી જ વાર પ્રભુ વરની દેશના સાંભળી તેઓએ બાર વ્રતો ધારણ કર્યા હતા. અપાર સંપત્તિના માલિક એવા તેઓએ તે જ સમયે પરિગ્રહની મર્યાદા કરી હતી. દિન-પ્રતિદિન પોતાના પરિગ્રહને ઘટાડી તેઓ સંસારથી અલિપ્ત રહી ધર્માનુષ્ઠાનમાં રત રહેતા હતા. છેવટે તેઓએ શ્રાવકની અગિયાર પ્રતિમાઓને વિધિપૂર્વક ગ્રહણ કરી હતી. ,
તેમાં એકવાર તેઓએ પૌષધશાળામાં પૌષધપ્રતિમા સ્વીકારેલી. ત્યારે એક કુતુહલપ્રિય દેવે તેમના ઉપર અનેક જાતના અનુકૂળ-પ્રતિકૂળ ઉપસર્ગો કર્યા; પરંતુ કામદેવ શ્રાવકનું મન પર્વતની જેમ અડગ રહ્યું. આત્મસાધના કરવા ઇચ્છતા શ્રાવકો પણ પોતાના મનને કેવું સ્થિર રાખી શકે છે તેનું આ બેનમૂન દષ્ટાંત છે. પૌષધ પારતી વખતે આવા દૃઢ વ્રતધારી શ્રાવકને યાદ કરી શ્રાવક વિચારે કે,
“ક્યારે હું પાછો આવા મહાન શ્રાવકોની જેમ દઢતાથી પ્રતિજ્ઞા વહન કરી આત્મિક ગુણોને વિકસાવીશ. કામદેવ શ્રાવકની જેમ પૌષઘવ્રતનો સ્વીકાર કરી સંસારના ભાવોથી વધુને વધુ નિર્લેપ ક્યારે બનીશ. અંતરંગ - બહટંગ પરિગ્રહોથી મુક્ત બની
સર્વવિરતિ ગ્રહણ કરવા હું જ્યારે સજ્જ બનીશ.” વંકિંતો - શ્રી ચંદ્રાવતેસ રાજા :
ચંદ્રાવતેસ રાજાએ પૌષધનો સ્વીકાર કરી એવો અભિગ્રહ કર્યો હતો કે જ્યાં સુધી દીવો બળે ત્યાં સુધી કાઉસ્સગ્ન કરવો. દાસીને તેમના આ અભિગ્રહની ખબર નહોતી, તેથી જ્યારે દીવો બુઝાવવા લાગ્યો ત્યારે તેણે “અંધારું થશે તો રાજાના