________________
પૌષધ પારવાનું સૂત્ર
૧૭૧
૧૭૧
મૂળ સૂત્ર:
सागरचंदो कामो, चंदवडिसो सुदंसणो धन्नो । जेसिं पोसहपडिमा, अखंडिया जीविअंते वि. ।।१।। धन्ना सलाहणिज्जा, सुलसा आणंद-कामदेवा य । जास पसंसइ भयवं, दढव्वयतं महावीरो ।।२।। પોસહ વિધિએ લીધો. વિધિએ પાર્યો, વિધિ કરતાં જે કોઈ અવિધિ દુઓ હોય તે સવિ હુ મન, વચન, કાયાએ કરી મિચ્છા મિ દુક્કડં.
પોસહના અઢાર દોષમાંહિ જે કોઈ દોષ લાગ્યો હોય તે સવિ હુ મન, વચન, કાયાએ કરી મિચ્છા મિ દુક્કડં. અન્વય અને સંસ્કૃત છાયા સહિત શબ્દાર્થ :
जेसिं पोसहपडिमा जीविअंते वि अखंडिया । येषां पोषधप्रतिमा जीवितान्ते अपि अखण्डिता । જેમની પૌષધની પ્રતિમા જીવનના અંત સુધી અખંડિત રહી. सागरचंदो कामो, चंदवडिसो सुदंसणो धन्नो । सागरचन्द्रः कामः, चन्द्रावतंसः सुदर्शनः धन्यः । (તે) સાગરચંદ્ર રાજર્ષિ, કામદેવ, ચંદ્રાવતુંસક રાજા, સુદર્શન શેઠ ધન્ય છે. जास दढव्वयतं भयवं महावीरो पसंसइ । येषां दृढव्रतत्वं भगवान महावीरः प्रशंसति । જેમની વતની દઢતાને ભગવાન મહાવીરે વખાણી છે. सुलसा आणंद-कामदेवा य धन्ना सलाहणिज्जा । सुलसा आनन्द - कामदेवौ च धन्याः श्लाघनीयाः । (તે) સુલસા, આણંદ અને કામદેવ ધન્ય છે, શ્લાઘનીય (પ્રશંસનીય) છે.
(સૂત્રનો બાકીનો ભાગ ગુજરાતી જ છે)