SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ સૂત્ર સંવેદના-૬ ૭. મંગલ ભાવના : અવતરણિકા : સાગારી અનશન સ્વીકારી ચિત્તને શુભ ભાવથી વાસિત કરવા સાધક મંગલ ભાવના ભાવે છે. ગાથા : चत्तारि मंगलं, अरिहंता मंगलं, सिद्धा मंगलं, साहू मंगलं केवलिपन्नत्तों धम्मो मंगलं ।।५।। અન્વયે સહિત સંસ્કૃત છાયાઃ चत्वारि मङ्गलानि । अर्हन्तः मङ्गलम् । सिद्धाः मङ्गलम् । साधवः मङ्गलम् । વઝિ-પ્રજ્ઞત: : મ મ્ II TI. શબ્દાર્થ : ચાર પદાર્થો મંગલ છે : (૧) અરિહંતો અંગેલ છે (૨) સિદ્ધો મંગલ છે. (૩) સાધુઓ મંગલ છે અને (૪) કેવલીભગવંતે બતાવેલો ધર્મ મંગલ છે. સંપા વિશેષાર્થ : આ જગતમાં મંગલ કરનારી ચીજો ચાર છે. જેનાથી આત્માનું હિત થાય, આત્મા માટે સુખ અને કલ્યાણની પરંપરા સર્જાય તથા આત્મા માટે અહિતકારી ભાવોનો જેનાથી નાશ થાય તેને મંગલ0 કહેવાય છે. આ જગતમાં ચાર પદાર્થો સર્વ શ્રેષ્ઠ મંગલરૂપ છે : ૧. અરિહંતભગવંતો ૨. સિદ્ધભગવંતો ૩. સાધુભગવંતો ૪. કેવળજ્ઞાની ભગવંતે પ્રરૂપેલો ધર્મ. આ ચાર તત્ત્વો અહિતકારી રાગાદિ ભાવોથી આત્માને દૂર રાખે છે અને નિજાનંદની મસ્તી માણવામાં પરમ આલંબનભૂત બને છે, માટે આ ચારને જ 20. મંગલ શબ્દના વિશેષ અર્થો સૂત્ર-સંવેદના-૧ માં નવકાર મંત્રના અર્થમાં જોવા.
SR No.005840
Book TitleSutra Samvedana Part 06
Original Sutra AuthorN/A
AuthorPrashamitashreeji
PublisherSanmarg Prakashan
Publication Year
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy