________________
૧૪૮
સૂત્ર સંવેદના-૬
૭. મંગલ ભાવના : અવતરણિકા :
સાગારી અનશન સ્વીકારી ચિત્તને શુભ ભાવથી વાસિત કરવા સાધક મંગલ ભાવના ભાવે છે.
ગાથા :
चत्तारि मंगलं, अरिहंता मंगलं, सिद्धा मंगलं, साहू मंगलं केवलिपन्नत्तों धम्मो मंगलं ।।५।।
અન્વયે સહિત સંસ્કૃત છાયાઃ
चत्वारि मङ्गलानि । अर्हन्तः मङ्गलम् । सिद्धाः मङ्गलम् । साधवः मङ्गलम् ।
વઝિ-પ્રજ્ઞત: : મ મ્ II TI. શબ્દાર્થ :
ચાર પદાર્થો મંગલ છે : (૧) અરિહંતો અંગેલ છે (૨) સિદ્ધો મંગલ છે. (૩) સાધુઓ મંગલ છે અને (૪) કેવલીભગવંતે બતાવેલો ધર્મ મંગલ છે. સંપા વિશેષાર્થ :
આ જગતમાં મંગલ કરનારી ચીજો ચાર છે. જેનાથી આત્માનું હિત થાય, આત્મા માટે સુખ અને કલ્યાણની પરંપરા સર્જાય તથા આત્મા માટે અહિતકારી ભાવોનો જેનાથી નાશ થાય તેને મંગલ0 કહેવાય છે. આ જગતમાં ચાર પદાર્થો સર્વ શ્રેષ્ઠ મંગલરૂપ છે : ૧. અરિહંતભગવંતો ૨. સિદ્ધભગવંતો ૩. સાધુભગવંતો ૪. કેવળજ્ઞાની ભગવંતે પ્રરૂપેલો ધર્મ.
આ ચાર તત્ત્વો અહિતકારી રાગાદિ ભાવોથી આત્માને દૂર રાખે છે અને નિજાનંદની મસ્તી માણવામાં પરમ આલંબનભૂત બને છે, માટે આ ચારને જ 20. મંગલ શબ્દના વિશેષ અર્થો સૂત્ર-સંવેદના-૧ માં નવકાર મંત્રના અર્થમાં જોવા.