________________
સંથારા પોરિસી સૂત્ર
-
નિદ્રાધીન પણ નહીં બનું અને છતાં પા શરીરને પૂરતો આરામ મળી જવાથી હું ઊઠીને પુન: યોગમાર્ગની સાધના કરવા સુસજ્જ બની શકીશ.”
૪. જાગવાની વિધિ :
અવતરણિકા :
હવે સૂતા પછી માત્ર આદિ કરવા માટે ઊઠવું પડે તો શું કરવું તે જણાવે છે.
ગાથા :
વ્વાદ્-વોનું, સાસ-નિમળાોણાકા
૧૪૩
સંસ્કૃત છાયા ઃ
દ્રવ્યા-િ૩પયોમાં, ઉચ્છ્વાસ-નિરુબ્ધનમ્ આછો રૂ।
શબ્દાર્થ
(હે ભગવંત ! વળી, મેં આપ પાસેથી જ જાણ્યું છે કે, જો કાય-ચિંતા માટે ઊઠવું પડે તો નિદ્રાનું નિવારણ કરવા માટે) દ્રવ્ય, ક્ષેત્ર; કાળ અને ભાવની વિચારણા કરવી. (તેમ છતાં નિદ્રા ન ઊડે તો બે આંગળી વડે નાક દબાવી) શ્વાસને રોકવો અને પછી પ્રકાશવાળા દ્વાર સામે જોવું. (આ રાત્રિમાં કારણવશાત્ ઊઠવાનો વિધિ છે.) IIII
વિશેષાર્થ :
નિદ્રા દરમ્યાન` સ્મૃતિ અને વિચારવાની ક્ષમતા થોડી ઘટી જાય છે. તેથી રાત્રે ઊઠવું પડે તો ઊંઘમાં’ને ઊંઘમાં કોઈ સંયમઘાતક કે આત્મઘાતક પ્રવૃત્તિ ન થઈ જાય તેની પણ સાધકે સાવધાની રાખવી જોઈએ. આથી જ શાસ્ત્રકાર મહર્ષિઓએ કોઈ કારણસર શરીરની કોઈ હાજત ટાળવા રાત્રે ઊઠવું પડે તો અર્ધ નિદ્રામાં કોઈ પ્રવૃત્તિ ન થઈ જાય તે માટે નિદ્રા દૂર કરવાની વિધિ પણ બતાવી છે.
વાડું-વઓનું - દ્રવ્યાદિના ઉપયોગને કરે