SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ સંથારા પોરિસી સૂત્ર - નિદ્રાધીન પણ નહીં બનું અને છતાં પા શરીરને પૂરતો આરામ મળી જવાથી હું ઊઠીને પુન: યોગમાર્ગની સાધના કરવા સુસજ્જ બની શકીશ.” ૪. જાગવાની વિધિ : અવતરણિકા : હવે સૂતા પછી માત્ર આદિ કરવા માટે ઊઠવું પડે તો શું કરવું તે જણાવે છે. ગાથા : વ્વાદ્-વોનું, સાસ-નિમળાોણાકા ૧૪૩ સંસ્કૃત છાયા ઃ દ્રવ્યા-િ૩પયોમાં, ઉચ્છ્વાસ-નિરુબ્ધનમ્ આછો રૂ। શબ્દાર્થ (હે ભગવંત ! વળી, મેં આપ પાસેથી જ જાણ્યું છે કે, જો કાય-ચિંતા માટે ઊઠવું પડે તો નિદ્રાનું નિવારણ કરવા માટે) દ્રવ્ય, ક્ષેત્ર; કાળ અને ભાવની વિચારણા કરવી. (તેમ છતાં નિદ્રા ન ઊડે તો બે આંગળી વડે નાક દબાવી) શ્વાસને રોકવો અને પછી પ્રકાશવાળા દ્વાર સામે જોવું. (આ રાત્રિમાં કારણવશાત્ ઊઠવાનો વિધિ છે.) IIII વિશેષાર્થ : નિદ્રા દરમ્યાન` સ્મૃતિ અને વિચારવાની ક્ષમતા થોડી ઘટી જાય છે. તેથી રાત્રે ઊઠવું પડે તો ઊંઘમાં’ને ઊંઘમાં કોઈ સંયમઘાતક કે આત્મઘાતક પ્રવૃત્તિ ન થઈ જાય તેની પણ સાધકે સાવધાની રાખવી જોઈએ. આથી જ શાસ્ત્રકાર મહર્ષિઓએ કોઈ કારણસર શરીરની કોઈ હાજત ટાળવા રાત્રે ઊઠવું પડે તો અર્ધ નિદ્રામાં કોઈ પ્રવૃત્તિ ન થઈ જાય તે માટે નિદ્રા દૂર કરવાની વિધિ પણ બતાવી છે. વાડું-વઓનું - દ્રવ્યાદિના ઉપયોગને કરે
SR No.005840
Book TitleSutra Samvedana Part 06
Original Sutra AuthorN/A
AuthorPrashamitashreeji
PublisherSanmarg Prakashan
Publication Year
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy