________________
૧૪૨
સૂત્ર સંવેદના-૬
શકે. તેથી જ શાસ્ત્રકાર આગળ કહે છે કે, ગતાંત12 વમન ભૂમિ અર્થાત્ જો આ રીતે સૂવા સમર્થ ન હો તો સંથારા ઉપરની ભૂમિનું જયણાપૂર્વક પ્રમાર્જન કરી વિધિપૂર્વક પગ લાંબા કરવા જોઈએ.
વળી, સાધકે સૂતી વખતે પણ સંયમની ઘાતક એવી જીવિરાધના અને આત્મવિરાધનાથી બચવાનું છે. તેથી સૂતા પછી પણ જો પગને પુન: સંકોચવા13 હોય તો સંડાસા14 એટલે કે સાથળના સાંધાઓને (ઢીંચણોને) પ્રમાર્જીને પછી જ પગ વાળવા. જેથી ત્યાં રહેલા કોઈ જીવની વિરાધનાં ન થઈ જાય.
નિદ્રા લેતા સાધક માટે આળોટવું તો અયોગ્ય જ છે, પણ ક્યારેક કાયાનું પડખું ફેરવ્યા વગર ચાલે એવું જ ન હોય, પડખું15 ફેરવીને સૂઈ જવાથી જ શરીરને પૂરતો આરામ મળે તેમ હોય અને તે આરામ થઈ જાય તો જ સંયમને યોગ્ય શારીરિક-માનસિક શક્તિ એકઠી થઈ શકે તેમ હોય; ત્યારે સાધુને પડખું ફેરવવાની છૂટ છે. ત્યારે પણ સાધુએ જયણાનો પરિણામ જીવંત રાખવા કાયાનું પડિલેહણ કરી પછી જ પડખું ફેરવવું જોઈએ.
સંથારવાની વિધિ દર્શાવતા આ પદો ઉચ્ચારતા સાધકનું હૈયું પરમકૃપાળુ પરમાત્મા પર ઓવારી જાય છે. તેને થાય છે કે,
“અહો ! મને ક્યાંય પ્રમાદ ન ની જાય તે માટે પ્રભુએ કેટલી કાળજી લીઘી છે. ખરેખર આ રીતે સૂવાથી હું અત્યંત
संस्तारकं चारोहन् सामायिकं वारत्रयमाकृष्य अणुजाणहेत्यादि भणति, अनुजानीत संस्तारकं, पुनश्च बाहूपधानेन वामपार्श्वेन च स्वपिति, कुक्कुटिवदाकाशे पादौ प्रसारणीयौ 'अतरन्त' त्ति आकाशे पादप्रसारणाशक्तस्तु भुवं प्रमृज्य पादौ स्थापयति ।
ધર્મસંગ્રહ
12. अतरंतो' त्ति यदा आकाशे व्यवस्थिताभ्यां पादाभ्यां न शक्नोति स्थातुं तदा पमज्जए भूमि त्ति भुवं' प्रमृज्य पादौ स्थापयति । - श्री ओघनिर्युक्तिः द्रोणाचार्यवृत्तिः
13. 'संकोइअ' इत्यादि, यदा पुनः सङ्कोचयति पादौ तदा संदंशमुरुसन्धिं प्रमृज्य सङ्कोचयति, उद्वर्तयंश्च कायं प्रमार्जयति, अयं स्वपतो विधिः । - धर्मसंग्रहवृत्ती
14. સંડાસા નો અર્થ સન્ધિઃ કર્યો હોવાથી અહીં ઢીંચણ ગ્રહણ કરી શકાય.
15. ર્રાનમેપાાવન્યપાર્શ્વમવનમ્ દંતે - એટલે એક પડખેથી બીજા પડખે થવામાં
- धर्मसंग्रहवृ