________________
સંથારા - પોરિસી સૂત્ર
૧૪૧
વિશેષાર્થ :
ગુણવાન ગુરુ પાસે સંથારામાં રહેવાની આજ્ઞા માંગ્યા પછી શિષ્ય પુન: સંથારામાં સૂવાની પણ આજ્ઞા માગે છે. સામાન્યથી વિચારીએ તો સૂવાની ક્રિયા એ પ્રમાદ છે. આમ છતાં સાધુની આ ક્રિયા અપ્રમાદ ભાવની પોષક હોવાથી તે પ્રમાદરૂપ બનતી નથી. દિવસભર અપ્રમત્તપણે જ્ઞાન, ધ્યાન, વૈયાવચ્ચ આદિના કાર્યો કરતાં કરતાં સાધુ જ્યારે થાકી જાય છે, ત્યારે પોતાના થાકને દૂર કરી બીજા દિવસે વધુ સારી રીતે આરાધના કરી શકાય તે માટે જ સાધુ નિદ્રાનો સહારો લે છે. તેથી સાધુની નિદ્રા પ્રમાદ બનતી નથી પરંતુ તે પણ એક યોગસાધના તરીકે ઓળખાય છે.
આ નિદ્રાસ્વરૂપ યોગસાધના પણ બીજા સર્વ કાર્યોની જેમ ગુર્વાજ્ઞાથી શાસ્ત્રોક્ત વિધિપૂર્વક કરવામાં આવે તો જ તે અપ્રમત્તતાનું કારણ બને છે. આવું જાણતા શિષ્યાદિ સૂવાની ક્રિયા કરતાં પૂર્વે પણ ગુરુની આજ્ઞા પ્રાપ્ત કરે છે.
અનુજ્ઞા મેળવ્યા પછી મહામુનિઓ કેવી રીતે સૂઈ જાય તેની સ્મૃતિ તાજી કરવા સૂવાની વિધિનું ઉચ્ચારણ કરે છે. આવી વિધિનું સ્મરણ કરતાં તે મનોમન સંકલ્પ કરે છે કે મારે સંયમની મર્યાદા પ્રમાણે સંયમની વૃદ્ધિ થાય તે રીતે જ આરામ કરવો છે, પણ મારા સંયમને બાધ આવે એવું કાંઈ કરવું નથી.
મહામુનિઓ સંથારામાં બેસવાની આજ્ઞા મેળવીને, કુકડીની જેમ બે પગ આકાશમાં ઊંચે લાંબા કરીને સુવે; એમ કરતાં થાકે ત્યારે સંથારા ઉપરની ભૂમિને પ્રમાર્જીને ડાબા પડખે, હાથનું ઓશીકું કરીને વિધિપૂર્વક પગને સંથારામાં લાંબા કરે."
નિદ્રા લેવાની વિધિ જાણ્યા પછી તે જ પ્રકારે નિદ્રા લેવાનો સંકલ્પ તો ઘણા કરે પણ સંકલ્પને અનુસરવાનું કાર્ય તો કોઈ અતિ સત્ત્વશાળી મહાપુરુષ જ કરી
જેમ કૂકડી પહેલા પગને આકાશ તરફ રાખે છે એ પ્રમાણે સાધુઓ પણ આકાશ તરફ પગ રાખે. એમ રાખવામાં અસમર્થ - અશક્ત હોય ત્યારે ભૂમિને પૂંજીને પગને રાખે એટલે કે
વિધિપૂર્વક પગ લાંબા કરે. 11. તાઝ સંથાર, પુત્તિ વેર્દિતિ તિજિ વારો
नवकारं सामइअ-मुच्चारिअ वामपासेणं ।।३५१।। उवहाणीकयबाहू, आकुंचिअ कुक्कडि व्व दो पाए । अतरंता सुपमजिअ, भूमिं विहिगा पसारंति ।।३६० ।।
- यतिदिनचर्या