________________
૧૪૦
સૂત્ર સંવેદના-૬
૩. સંથારાનો વિધિ :
અવતરણિકા :
ગુરુ પાસેથી સંથારામાં બેસવાની અનુજ્ઞા મેળવ્યા પછી શિષ્ય વળી પાછી સંથારામાં સૂવાની અનુજ્ઞા માગે છે.
ગાથા :
अणुजाण संथारं, बाहुवहाणेण वाम-पासेणं । બુદ્ધિ-પાવ-પસારળ, અતરત મખ્ખણ ભૂમિ રા संकोइअ संडासा, उव्वट्टंते अ काय - पडिलेहा ।
અન્વય સહિત સંસ્કૃત છાયા :
अनुजानीत संस्तारं, बाहूपधानेन वाम-पार्श्वेन । कुर्कुटी-पाद-प्रसारणे अशक्नुवन् प्रमार्जयेद् भूमिम् ।।२।। संकुच्य संदशौ उद्वर्तमानः च कायं प्रतिलिखेत् ।
શબ્દાર્થ :
(મેં આપ પાસેથી પૂર્વે જાણ્યું છે કે,) હાથનો તકિયો બનાવી સાધુ ડાબે પડખે સૂઈ જાય. સૂતી વખતે તે કુકડીની જેમ આકાશમાં પગ લાંબા કરીને સૂવે. જો ઊંચે પગ લાંબા ન રાખી શકે તો ભૂમિને = સંથારાને પ્રમાર્જીને તેમાં બે પગ મૂકે. જો પગ લાંબા કર્યા પછી સંકોચવા પડે તો ઢીંચણ પૂંજીને સંકોચે અને જો પડખું ફેરવવું પડે તો શરીરનું પ્રમાર્જન કરે. (આ સંથારાની વિધિ છે. હું તેનું પાલન કરવા પ્રયત્ન કરીશ.)
9. ‘સંથારો’ શબ્દ અંતિમ સંલેખના યાવજ્જીવ અનશન માટે પણ વપરાય છે તેથી અહીં રાત્રિનો સંથારો એમ કહી સ્પષ્ટતા કરી છે. સાધુ કે પૌષધધારી શ્રાવકનું જીવન જયણા પ્રધાન હોય છે માટે તેઓ રૂની કે ડનલોપ વગેરેની ગાદીનો ઉપયોગ કરતા નથી. તેઓ સૂવા માટે ૨', હાથ લાંબા અને ૧૧, હાથ પહોળા એવા ઊનના એક વિશિષ્ટ આસનનો ઉપયોગ કરે છે. આ ઊનના આસનને સંથારો કહેવાય છે.
10. 'कुक्कुडिपायपसारणं' त्ति यथा कुक्कुटी पादावाकाशे प्रथमं प्रसारयति एवं साधुनाऽप्याकाशे पा प्रथममशकनुवता प्रसारणीयौ श्री ओघनिर्युक्तिः द्रोणाचार्यवृत्तिः
સંસ્તારક વિધિ