________________
સંથારા - પોરિસી સૂત્ર
૧૩૯
શાસ્ત્રમાં જે પ્રહરમાં જે કાર્ય કરવાના હોય તે પ્રમાણે જુદા જુદા પ્રહરને જુદા જુદા નામથી ઓળખવામાં આવે છે. જેમ કે દિવસનો પહેલો પ્રહર તે “સૂત્રપૌરુષી', બીજો પ્રહર તે અર્થ પૌરુષી' વગેરે. તેમ રાત્રિનો બીજો પ્રહર તે “સંથારા પૌરુષી’
રાત્રિના પહેલા પ્રહરમાં સ્વાધ્યાય કરવાનો છે, બીજા પ્રહરમાં સામાન્ય સાધુને શ્રમ દૂર કરવા નિદ્રા લેવાનું અને પ્રૌઢ સાધુએ ધ્યાન કરવાનું વિધાન છે. ત્રીજા પ્રહરમાં નિદ્રાથી મુક્ત થઈ, ચોથા પ્રહરમાં સૌએ પુન: સ્વાધ્યાયમાં જોડાવાનું છે.
આ વિધાનને લક્ષ્યમાં રાખીને શ્રમણભગવંતો તથા પૌષધધારી શ્રાવકો રાત્રિનો પ્રથમ પ્રહર સ્વાધ્યાયમાં, ધ્યાનમાં કે ગુરુભગવંતની વિશ્રામણા આદિમાં પસાર કરે છે. આ કાર્ય કરતાં જ્યારે શ્રમનો અનુભવ થાય અને વિશ્રામ કર્યા વિના આગળના કાર્ય સારી રીતે સંપન્ન થાય તેમ નથી એવું લાગે ત્યારે સાધક ગુરુભગવંત પાસે જઈને વિનયપૂર્વક જણાવે કે, “હે યેષ્ઠ આર્ય ! પ્રથમ પોરિસીનો સમય લગભગ પૂર્ણ થયો છે. આપ જો અનુજ્ઞા આપો તો હું હવે રાત્રિ સંથારો કરું ?'
સાધુએ કે પૌષધધારી શ્રાવકે સમભાવની વૃદ્ધિ થાય તે માટે યત્ન કરવાનો છે અને સાવચેતી પૂર્વક પ્રમાદને સદંતર ટાળવાનો છે. તેથી જો સાધુભગવંત શરીરના સુખ માટે કે સૂવામાં મઝા આવતી હોવાથી સૂવાનો વિચાર કરે છે, તે માટે આજ્ઞા માંગવા જાય તો તે અયોગ્ય છે. તેમ કરવાથી તેમનો સામાયિકનો પરિણામ નાશ પામી જાય છે; પરંતુ જ્યારે એમ લાગે કે જરૂરી આરામ કરવાથી કે નિદ્રા લેવાથી ઉત્તરના સંયમયોગોમાં બળવત્તર યત્ન થઈ શકશે ત્યારે જ તેઓ ગુણવાન ગુરુ પાસે સૂવાની (સંથારવાની) અનુજ્ઞા માગે. અને શિષ્યની નિદ્રા તેના સંયમવૃદ્ધિનું કારણ બનશે એવું જ્યારે જણાય ત્યારે ગુરુભગવંત પણ શિષ્યને નિદ્રા લેવાની અનુજ્ઞા આપે.
6. તમે પરિસી સાથે, વિઠ્ય જ્ઞાઈi fણયાયક્ !
तइयाए भिक्खायरियं पुणो चउत्थीए सज्झायं ।।। - શ્રી રાધ્યયનસૂત્ર ર૬-૧ર 7. સ્થવિર પ્રૌઢ અને ગીતાર્થ સાધુઓ તો બીજા પ્રહરમાં પણ સૂત્રો તથા અર્થનું ચિંતન કરે છે. 8. પઢમં રિસી સન્નાર્ય, વિર્ય જ્ઞાળ થાય !
तइयाए निद्दमुक्खं तु, चउत्थी भुज्जो वि सज्झायं ।।४३।। - श्रीउत्तराध्ययनसूत्र २६