________________
૧૦૭
સંથારા - પોરિસી સૂત્ર
થાય છે. આ ભાવોને કારણે સંસારના ભાવોથી પર રહે – અલિપ્ત રહે તેવું માનસ તૈયાર થાય છે. આવું માનસ જ મોહનાશનું ઉત્તમ સાધન બને છે.
કરેમિ ભંતે' સૂત્રનું ઉચ્ચારણ કરવાથી સાધકે પૂર્વે લીધેલી સમભાવમાં રહેવાની અને સાવદ્ય (પાપમય) પ્રવૃત્તિઓના ત્યાગની પ્રતિજ્ઞા સ્મૃતિપટમાં તાજી થાય છે અને તેના સમ્યફ પાલનનો યત્ન દઢ બને છે.
શ્રી ગૌતમ મહારાજા આદિ અપ્રમત્ત સાધુઓને તથા પંચ પરમેષ્ઠિને કરેલા નમસ્કારના અને સમભાવની પ્રતિજ્ઞાના આ પવિત્ર ભાવોને માનસપટ પર વધુ સારી રીતે અંકિત કરવા સાધક તેને ત્રણ વાર દોહરાવે છે. ફળસ્વરૂપે તેનામાં એવા સંસ્કાર પડે છે કે, પોરિસીની ક્રિયા ઉપરાંત નિદ્રામાં પણ સંયમ કે સમભાવને અનુકૂળ ચિત્ત અકબંધ રહે છે; પણ પ્રમાદને વશ બની નાશ નથી પામતું. ૨. સંથારામાં રહેવાની અનુજ્ઞા? “
મંગલાચરણ કર્યા પછી, સાધક ગુણવાન ગુરુ પાસે સંથારામાં રહેવાની અનુજ્ઞા માગે છે. મૂળ ગાથાઃ
अणुजाणह जिट्ठज्जा ! .. ગણુનાદ પરમ-ગુરુ ! ગુ-ગુજ-યોહિં મંદિય-સરીરાI
વહુ-વિપુuvir uોરિલી, રફ-સંથાર, કમિ' iારા અન્વય સહિત સંસ્કૃત છાયાઃ
ज्येष्ठार्याः ! अनुजानीत गुरु-गुण-रत्नैः मण्डितशरीराः परमगुरवः ! अनुजानीत बहु-प्रतिपूर्णा पौरुषी, रात्रिकसंस्तारके तिष्ठामि ।।१।। શબ્દાર્થ:
હે જ્યેષ્ઠ આર્ય ! અનુજ્ઞા આપો.
મોટા ગુણરત્નોથી વિભૂષિત દેહવાળા હે પરમગુરુ! (પ્રથમ) પૌરુષી સારી રીતે પરિપૂર્ણ થઈ છે, હવે રાત્રિના સંથારાને વિષે સ્થિર થવાની અનુજ્ઞા આપો. ૧