SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ ‘મન્નહ જિણાણું-સજ્ઝાય’ ગાથા : તિત્ત્વે संघोवरि बहुमाणो, पुत्थय - लिहणं पभावणा तित्थे । सड्डाण किच्चमेअं, निच्चं सुगुरुवएसेणं । । ५ । । અન્વય સહિત સંસ્કૃત છાયા : ૧૧૫ सङ्घोपरि बहुमानः, पुस्तक लेखनं प्रभावना तीर्थे । તત્ શ્રદ્ધાનાં નૃત્યમ્, નિત્યં સુનુરૂપવેશેન (સેવધ્યુમ્) | ।। ગાથાર્થ : સંઘ પ્રત્યે બહુમાન, પુસ્તક્ને લેખન, તીર્થની પ્રભાવના: આ શ્રાવકનાં કૃત્યો હંમેશા ગુરુ ઉપદેશથી (સેવવાં જોઈએ.) વિશેષાર્થ : રૂ૪. સંયોવર વહુમાળો - સંઘ પ્રત્યે બહુમાન રાખો. શબ્દકોષમાં સંઘનો અર્થ સમૂહ છે. પરંતુ આ સૂત્રના પરિપ્રેક્ષ્યમાં અરિહંત પરમાત્માની આજ્ઞાને શિરસાવંઘ કરતાં, આશા ખાતર પ્રાણ ન્યોછાવર કરતાં, આજ્ઞાને જ સર્વસ્વ માનતા, યથાશક્તિ આજ્ઞાને આરાધતાં, જ્ઞાન-દર્શન-ચારિત્રની સર્વ ક્રિયાઓ આજ્ઞાનુસાર જ કરવાનો આગ્રહ રાખતાં જન-સમુદાયને ‘સંઘ’ કહેવાય છે.. પ્રભુના શ્રીમુખે ત્રિપદી પ્રાપ્ત થતાં પ્રારંભાયેલી કલ્યાણકારી શ્રુતધારાનો આધાર શ્રીસંઘ છે. ખુદ તીર્થંકર પરમાત્મા પણ શ્રીસંઘને નમસ્કાર કરે છે. આ શ્રી સંઘ સકળ વિશ્વનું કલ્યાણ કરવાની ભાવનાવાળો છે. અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય આદિ ઉત્તમ પુરુષ રત્નોની ખાણ છે. શ્રાવક માટે શ્રીસંધનો પ્રત્યેક સભ્ય આદરણીય છે, પછી તે નાનો હોય કે મોટો, શ્રીમંત હોય કે દરિદ્રી, ગુણસમૃદ્ધ હોય કે ગુણહીન હોય પણ તે પ્રભુના સંઘનો સદસ્ય છે; તેથી ભક્તિપાત્ર છે, માનનીય છે, વંદનીય છે, પૂજનીય છે. શ્રાવકને સંઘને જોઈ મનમાં એવા ભાવ જાગે કે, “આ ચતુર્વિધ સંઘના ચરણની રજ પણ મારા માટે તો પવિત્ર છે, તેમની સેવા ક૨વા મળે તે તો મારું પરમ સૌભાગ્ય છે.” સંઘ પ્રત્યે આવો આદર, બહુમાનનો ભાવ એટલે જ ‘સંઘોવર બહુમાન' નામનું આ કર્તવ્ય.
SR No.005840
Book TitleSutra Samvedana Part 06
Original Sutra AuthorN/A
AuthorPrashamitashreeji
PublisherSanmarg Prakashan
Publication Year
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy