________________
“મન્નત જિણાણ-સઝાય'
૧૦૧
મશ્કરી કરતાં રેડીયો કે વૉકમેન જેવાં મનોરંજનનાં સાધનો સાથે લઈ પગમાં જૂતાં પહેરી તીર્થસ્થાને જાય છે, તેઓ તીર્થની ઘોર આશાતના કરે છે.
શાસ્ત્રમાં કહ્યું છે કે, અન્ય સ્થાનમાં કરેલું પાપ તીર્થસ્થાનમાં નાશ પામે છે, પરંતુ તીર્થસ્થાનમાં કરેલું પાપ વજલેપ જેવું થાય છે, એટલે તે કર્મ એટલું મજબૂત બંધાય છે કે, જેનાથી મુક્તિ મેળવવી અસંભવિત જેવી બની જાય છે. આથી તીર્થસ્થાનમાં ગયા પછી કોઈપણ પ્રકારનું પાપ ન થઈ જાય તે માટે ખાસ સાવધ અને સજાગ રહેવું જોઈએ અને તમારી તીર્થયાત્રા દોડાદોડીવાળી, વિધિની ઉપેક્ષાવાળી, પર્યટનમાં ન પલટાઈ જાય તેનું ધ્યાન રાખવું અનિવાર્ય છે.
ગાથા :
उवसम - विवेग - संवर, भासा-समिई छज्जीव-करुणा य ।
धम्मिअजण-संसग्गो, करण-दमो चरण-परिणामो ।।४।। અન્વયે સહિત સંસ્કૃત છાયા :
૩૫મ-વિવે-સંવરી, માવા-સમિતિ: પદ્ગીવ-રુપ ઘા ધર્મ-નન-સંક્ષ, -મ: વર[-પરિણમ:.૪
ગાથાર્થ
ઉપશમ, વિવેક, સંવર, ભાષાસમિતિ અને છ જવનિકાયની કરુણા; ધાર્મિકજનનો સંસર્ગ, ઇન્દ્રિયનું દમન, ચારિત્રનો પરિણામ (આવા શ્રાવકનાં કૃત્યો હંમેશા ગુરુ ઉપદેશથી સેવવાં જોઈએ.) I૪ વિશેષાર્થ : .
૨૬. ૩વસ - કષાયો શાંત કરવા. ક્રોધાદિ ચાર કષાયો અને હાસ્યાદિ નવ નોકષાયો જ સંસારરૂપી વૃક્ષનું મૂળ છે. નિમિત્ત મળતાં કે નિમિત્ત વિના આ કષાયો પ્રગટે છે અને અનેક પ્રકારની મુશ્કેલીઓ-મુંઝવણો અને ક્યારેક મોટી હોનારતો પણ સર્જે છે. શાસ્ત્રાભ્યાસ, શુભ ચિંતન અને તત્ત્વની વિચારણા દ્વારા આ કષાયોને શાંત કરવા, ઉદયમાં 27. “અચસ્થાને કૃતં પાપં તીર્થસ્થાને વિનશ્યતિ, તીર્થસ્થાને તં પાપં વઝૂંપો પવિષ્યતિ ”