________________
“મન્નત જિણાણ-સક્ઝાય'
અવધ્ય બીજ છે.”23 જ્યાં સુધી તમારામાં પરોપકાર કરવાની વૃત્તિ નહિ આવે ત્યાં સુધી તમે જીવ માત્રને તમારા સમાન નહિ જોઈ શકો અને પરિણામે પરમસુખના સાંધન સ્વરૂપ સમતા તમને પ્રાપ્ત નહિ થાય.
અહીં એટલું ધ્યાનમાં રાખવું કે, પરોપકાર કરતાં ક્યારેય કોઈ અપેક્ષા ન રાખવી. ઘણીવાર એવું બને કે, તમે જેની ઉપર ઉપકાર કર્યો હશે, તે અવસર આવે તમારી નિંદા પણ કરે અને તમારો તિરસ્કાર પણ કરે, ત્યારે તમે તમારા પરોપકારને યાદ ન કરશો કે, તેને વખોડશો પણ નહીં. હંમેશા નિ:સ્વાર્થભાવે પરોપકાર કરવાનું ચાલું રાખજો. ૨૮. ગયUT ગ - (યતના) કાળજી કે સાવધાની રાખવી.
કોઈપણ કાર્ય કરતાં બિનજરૂરી એક પણ જીવની હિંસા ન થઈ જાય તેની કાળજી રાખવી તેને જયણા કહેવાય છે. તેમાં કોઈના પણ દ્રવ્યપ્રાણને હાનિ ના પહોંચે તેનું ધ્યાન રાખવું તે દ્રવ્યજયણા છે અને કોઈને ભાવપ્રાણને હાનિ ન પહોંચે તેનું ધ્યાન રાખવું તે ભાવજયણા છે. જયણાપૂર્વક પ્રવૃત્તિ કરવાથી જ અહિંસાનો પરિણામ ઉદ્ભવે છે, માટે આ જયણા ધર્મની માતા છે. સ્વીકારેલા વ્રતાદિનું પાલન જયણાથી થાય છે, માટે જયણા ધર્મની પાલણી છે. અનશનાદિ તપની વૃદ્ધિ પણ જયણાથી થાય છે, વળી જયણાથી પોતાને તથા અન્યને પણ સુખ થાય છે માટે તે એકાંતે સુખને આપનારી છે.
આ જ કારણથી સક્ઝાયકાર મહર્ષિ દયાવાન શ્રાવકોને કહે છે “તમો જયણાધર્મનું પાલન કરો. પાણી વાપરવું પડે ત્યારે પણ તેમાં રહેલા ત્રસ જીવોની હિંસા ન થઈ જાય તે માટે પાણી ગાળીને વાપરો. લાકડાં, ગેસ, ચૂલો વગેરે જોઈપૂંજીને વાપરો, અનાજ વાપરો ત્યારે ચાળી, જોઈ પછી તેનો ઉપયોગ કરો. શાકભાજી સુધારવાં પડે ત્યારે ત્રસ જીવોની હિંસા ન થાય તેની કાળજી રાખો. ઘી
23. તડપનિવેશીસ્તન, યુવત્તો મુક્તિવાહિનામ્ |
યુવત: પુન: શ્રુતે, શોલે, સમય ૨ મહાત્મનામ્ II૮૮|| बीजं चास्य परं सिद्धमवन्ध्यं सर्वयोगिनाम् परार्थकरणं येन, परिशुद्धमतोऽत्र च ।।८९।।
- શ્રી યોગસમુચ્ચય:
24 નયા ય ધમની , નયTI ધમ્મસ પાછળની વેવ |
તવવુંકરી ગયm, iત સુદાવી ગયUT T૬૭TI
- સંબોધસત્તરિ