________________
સૂત્ર સંવેદના-૭
તેલ વગેરેનાં વાસણ ખુલ્લાં ન રાખો કોઈ પણ ચીજ-વસ્તુ ગમે ત્યાં ન ફેંકો. નીચે જોઈને ચાલો અને કોઈનામાં રાગાદિ ભાવો જાગે કે તેની વૃદ્ધિ થાય, તેવું ન બોલો કે, તેવી પ્રવૃત્તિ પણ ન કરો. ટૂંકમાં, સર્વ પ્રવૃત્તિ કરતાં કોઈપણ જીવના દ્રવ્યપ્રાણ કે ભાવપ્રાણની નાહક વિરાધના ન થઈ જાય તેની કાળજી રાખો.”
ગાથા :
નિ-પૂઞ ખિળ-થુનળ, ગુરુ-યુગ સાહસ્મિઞાળ વર્ણ । વવહારમ્સ ય સુદ્ધી, રહે-ખન્ના નિત્ય-ખા ય ।।રૂ।।
અન્વય સહિત સંસ્કૃત છાયા :
૯૨
નિન-પૂના બિન-સ્તવન, ગુરુ-સ્તવઃ સામિાળાં વાત્સલ્યમ્ । વ્યવહારસ્ય ચ શુદ્ધિ:, રથ-યાત્રા તીર્થ-યાત્રા ૬ ।।૨।।
ગાથાર્થ :
જિનપૂજા, જિનસ્તુતિ, ગુરુસ્તુતિ, સાધર્મિકવાત્સલ્ય; વ્યવહારની શુદ્ધિ, રથયાત્રા અને તીર્થયાત્રા (શ્રાવકનાં આવાં કૃત્યો હંમેશા ગુરુઉપદેશથી સેવવાં જોઈએ)
વિશેષાર્થ :
૬. નિવૂ - જિનની એટલે કે ભગવાન શ્રી જિનેન્દ્રની પૂજા કે ભક્તિ
કરો.
આપણા ઉપર પરમ ઉપકાર કરનાર પરમાત્માની ઉત્તમ દ્રવ્યો અને ઉત્તમ ભાવોથી વિવિધ પ્રકારે પૂજા-ભક્તિ કરવી તે જિનપૂજા છે. શ્રાવક અવિરતિધર છે. તે ઈન્દ્રિય અને પુદ્ગલના સહારે જ આનંદ-પ્રમોદ માણવા ટેવાયેલો છે. પુદ્ગલના આલંબન વિનાનું આત્માનું સુખ માણવાની કક્ષા સુધી તે પહોંચ્યો નથી.
આ કક્ષામાં રહેલા સાધક માટે જ શાસ્ત્રમાં પ્રભુ પૂજાનું વિધાન છે. ઉત્તમ દ્રવ્યો અને શુભભાવથી પરમાત્માની પૂજા કરવાથી પ્રભુ પ્રત્યે પ્રશસ્ત રાગ પ્રગટે છે, અને અપ્રશસ્ત એવો સંસાર પ્રત્યેનો રાગ ધીરે ધીરે ઘટતો જાય છે. સાથે જ