________________
ચારિત્રાચાર
અવતરણિકા:
* દેશવિરતિરૂપ ચારિત્ર બારવ્રતવાળું છે. આ વ્રતોને ત્રણ વિભાગમાં વહેંચી તેનું પાલન કરતાં જે અતિચારો લાગ્યો હોય, તેનું સામુદાયિકરૂપે પ્રતિક્રમણ કરતાં કહે છે
ગાથા :
पंचण्हमणुव्वयाणं गुणव्वयाणं च तिहमइआरे ।
सिक्खाणं च चउण्हं पडिक्कमे देसि सव्वं ।।८।। અન્વયસહિત સંસ્કૃત છાયા ?
पञ्चानाम् अणुव्रतानां त्रयाणां च गुणव्रतानाम् ।
चतुर्णा शिक्षाणां अतिचारान् दैवसिकं सर्वम् प्रतिक्रामामि ।।८।। ગાથાર્થ :
પાંચ અણુવ્રતોના, ત્રણ ગુણવ્રતોના અને ચાર શિક્ષાવ્રતોના (વિષયમાં) દિવસ દરમ્યાન (લાગેલા) સર્વ અતિચારોનું હું પ્રતિક્રમણ કરું છું. વિશેષાર્થ :
પંચમgવ્યથા [ગયા?]- પાંચ અણુવ્રતોના (અતિચારોનું)
મહાવ્રતની અપેક્ષાએ નાના અને પાળવામાં સુગમ વ્રતને અણુવ્રત કહેવામાં આવે છે અથવા જે વ્રતનું ક્ષેત્ર મર્યાદિત છે તેને અણુવ્રત કહેવાય છે અથવા અનુ=પાછળ, જે વ્રતો સમ્યક્ત્વ પ્રગટ થયા પછી પાછળથી પ્રાપ્ત થાય, તેને અણુવ્રત કહેવાય છે.
આ અણુવ્રતો પાંચ પ્રકારનાં છે : ૧. શૂલપ્રાણાતિપાતવિરમણવ્રત - મોટી હિંસાથી પાછા હઠવું. ૨. સ્કૂલમૃષાવાદવિરમણવ્રત - મોટું જૂઠું ન બોલવું. ૩. સ્થૂલઅદત્તાદાનવિરમણવ્રત - મોટી ચોરી ન કરવી. . ૪. સ્કૂલમૈથુનવિરમણવ્રત - સ્વસ્ત્રીમાં સંતોષ અને પરસ્ત્રીગમનનો ત્યાગ
કરવો.