SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ ચારિત્રાચાર અવતરણિકા: * દેશવિરતિરૂપ ચારિત્ર બારવ્રતવાળું છે. આ વ્રતોને ત્રણ વિભાગમાં વહેંચી તેનું પાલન કરતાં જે અતિચારો લાગ્યો હોય, તેનું સામુદાયિકરૂપે પ્રતિક્રમણ કરતાં કહે છે ગાથા : पंचण्हमणुव्वयाणं गुणव्वयाणं च तिहमइआरे । सिक्खाणं च चउण्हं पडिक्कमे देसि सव्वं ।।८।। અન્વયસહિત સંસ્કૃત છાયા ? पञ्चानाम् अणुव्रतानां त्रयाणां च गुणव्रतानाम् । चतुर्णा शिक्षाणां अतिचारान् दैवसिकं सर्वम् प्रतिक्रामामि ।।८।। ગાથાર્થ : પાંચ અણુવ્રતોના, ત્રણ ગુણવ્રતોના અને ચાર શિક્ષાવ્રતોના (વિષયમાં) દિવસ દરમ્યાન (લાગેલા) સર્વ અતિચારોનું હું પ્રતિક્રમણ કરું છું. વિશેષાર્થ : પંચમgવ્યથા [ગયા?]- પાંચ અણુવ્રતોના (અતિચારોનું) મહાવ્રતની અપેક્ષાએ નાના અને પાળવામાં સુગમ વ્રતને અણુવ્રત કહેવામાં આવે છે અથવા જે વ્રતનું ક્ષેત્ર મર્યાદિત છે તેને અણુવ્રત કહેવાય છે અથવા અનુ=પાછળ, જે વ્રતો સમ્યક્ત્વ પ્રગટ થયા પછી પાછળથી પ્રાપ્ત થાય, તેને અણુવ્રત કહેવાય છે. આ અણુવ્રતો પાંચ પ્રકારનાં છે : ૧. શૂલપ્રાણાતિપાતવિરમણવ્રત - મોટી હિંસાથી પાછા હઠવું. ૨. સ્કૂલમૃષાવાદવિરમણવ્રત - મોટું જૂઠું ન બોલવું. ૩. સ્થૂલઅદત્તાદાનવિરમણવ્રત - મોટી ચોરી ન કરવી. . ૪. સ્કૂલમૈથુનવિરમણવ્રત - સ્વસ્ત્રીમાં સંતોષ અને પરસ્ત્રીગમનનો ત્યાગ કરવો.
SR No.005838
Book TitleSutra Samvedana Part 04
Original Sutra AuthorN/A
AuthorPrashamitashreeji
PublisherSanmarg Prakashan
Publication Year2006
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy