________________
સૂત્રસંવેદના-૪
૫. પરિગ્રહપરિમાણ વ્રત - પરિગ્રહવૃત્તિ પર કાબૂ મેળવી પરિગ્રહનું પ્રમાણ
નક્કી કરવું - તેની એક મર્યાદા બાંધવી તે. કુવૈયા ર તિખમરૂગાર - ત્રણ ગુણવ્રતોના અતિચારોનું
શ્રાવક માટે પાંચ અણુવ્રતો પાંચ મૂળવતો સમાન છે. આ મૂળવ્રતોને ગુણ કરનારાં અર્થાત્ તેની પુષ્ટિ કરનારાં વ્રતોને ગુણવ્રત કહેવાય છે. તે આ પ્રમાણે છે - ૭. દિગુપરિમાણવ્રત - દરેક દિશામાં અમુક હદથી વધારે ન જવું. ૭. ભોગોપભોગવિરમણવ્રત - ભોગ-ઉપભોગની (વપરાશની) મર્યાદા
બાંધવી. ૮. અનર્થદંડવિરમણવ્રત - કોઈ પણ ખાસ કારણ વિના એટલે કે જીવન
જીવવા જરૂરી ન હોય તેવાં કારણ વિના આત્મા દંડાય, આત્મા દુઃખી
થાય તેવાં કાર્યો નહીં કરવાનો સંકલ્પ કરવો, સિવાઇi ૩ë [ગયારે] - ચાર પ્રકારના શિક્ષાવ્રતોના (અતિચારોનું.)
જે વ્રતના પાલનથી સમતા આદિ ગુણોનું તથા સર્વવિરતિરૂપ સંયમજીવનનું શિક્ષણ મળે, તેને શિક્ષાવ્રત કહેવાય છે, અથવા ગુણવૃદ્ધિ માટે જેનો વારંવાર અભ્યાસ કરવાનો છે તેને શિક્ષાવ્રત કહેવાય છે. તેના ચાર પ્રકારો આ પ્રમાણે છે૯. સામાયિક વ્રત - સર્વ પાપવ્યાપારનો ત્યાગ કરીને બે ઘડી સુધી
સમતાભાવમાં રહેવાની પ્રતિજ્ઞાને સામાયિક કહેવાય છે. “એક વર્ષમાં ઓછામાં ઓછાં આટલાં સામાયિક કરીશ.” તેવો સંકલ્પ તે સામાયિક
વ્રત નામનું પ્રથમ શિક્ષાવ્રત છે. ૧૦. દેસાવગાસિક વ્રત - છઠ્ઠા વ્રતમાં અને બાકીનાં વ્રતોમાં રાખેલી છૂટોને
મર્યાદિત કરવી, તે દેસાવગાસિક નામનું બીજું શિક્ષાવ્રત છે. - ૧૧. પૌષધોપવાસ વ્રત - ઉપવાસ સહિત ધર્મની પુષ્ટિ થાય તેવી ક્રિયાને
પૌષધ કહેવાય છે. એક વર્ષમાં અમુક પૌષધ કરવાનો સંકલ્પ કરવો તે પૌષધોપવાસ નામનું ત્રીજું શિક્ષાવ્રત છે.