SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ સૂરસંવેદના-૪ મૂકવું, આવી અનેક પ્રકારની જયણા સાચવવી તે શ્રાવકનું કર્તવ્ય છે. આમ છતાં પ્રમાદ આદિ દોષથી ઉપરોક્ત જયણા ન સચવાઈ હોય તેને કારણે નિરર્થક જીવોની હિંસારૂપ જે દોષ લાગ્યો હોય, તથા યતના કરવા છતાં પણ જરૂરી છે હિંસા કરવી પડી હોય તેને કારણે જે પાપ થયું છે, તે નિંદે - તેને હું નિંદું છું. રસોઈની ક્રિયા કરતાં હિંસા દ્વારા મેં જે પાપકર્મ બાંધ્યું છે, તેની હું નિંદા કરું છું જીવોને પીડા આપવાનું આ કાર્ય મેં ખોટું કર્યું તેમ કબૂલ કરું છું. જો કે ગૃહસ્થજીવનને ટકાવવા ન છૂટકે રસોઈ કરવી કે કરાવવી તો પડે છે; પરંતુ આ ક્રિયા કરતાં પણ જે જયણાનો ભાવ જાળવવો જોઈએ, તે હું જાળવી શક્યો નથી. વળી, જીવત્વની દષ્ટિએ મારા જેવા જ મારા બંધુઓને પીડા આપતાં હૃદયમાં જે દુઃખ થવું જોઈએ, હૈયુ કંપવું જોઈએ, તે પણ આહારદિની આસક્તિના કારણે થઈ શક્યું નથી. આ સર્વ મારાથી ખોટું થયું છે તે હું માનું છું, અને સહૃદય તે પાપની હું નિંદા કરું છું. જિજ્ઞાસાઃ આ ગાથામાં ‘રિવાર' શબ્દનો ઉલ્લેખ ન કરતાં ‘રોષ' શબ્દનો ઉલ્લેખ કર્યો છે, અને ‘પદમ” શબ્દ ન વાપરતાં ‘નિને' શબ્દ વાપર્યો છે, તેનું કારણ શું? તૃપ્તિ વિચારતા એવું લાગે છે કે વ્રતની મલિનતાને અતિચાર કહેવાય છે, પરંતુ શ્રાવક રસોઈ ન કરવાનું વ્રત સ્વીકારી શકતો નથી; તેથી રસોઈક્રિયામાં થતી હિંસાથી તેને વ્રતમાલિન્યરૂપ અતિચાર નથી લાગતો, તો પણ તેમાં જે અજયણા થાય છે તે દોષરૂપ છે, માટે તેની નિન્દા જરૂરી છે; અને પ્રતિક્રમણ એટલે પાછા ફરવું રસોઈના વિષમાં આ વસ્તુ શ્રાવક માટે શક્ય નથી. તેથી અહીં “પકિદમણિ' શબ્દનો ઉલ્લેખ નહિ કર્યો હોય તેમ લાગે છે. આ ગાથા બોલતાં શ્રાવક વિચારે કે વૈરાગ્ય મજબૂત કરી, સત્ત્વનો પ્રકર્ષ કરી, આઠ વર્ષની ઉમરે મેં સંયમજીવન સ્વીકારી લીધું હોત તો છ કાયની હિંસાનું આ પાપ કરવાનો દિવસ માટે ન આવ્યો હોત. સંયમ નથી સ્વીકાર્ય માટે જ હિસાદિ આ પાપો કરવા પડે છે. વળી આ પાપો કરતાં પણ કરુણાદિના જે ભાવો ટકાવવા જોઈએ તે પણ હું ટકાવી શકતો નથી. ખરેખર ! મને ધિક્કાર છે ! પ્રભુ! ક્યારે એવો ધન્ય દિવસ આવશે કે હું સંયમજીવનનો સ્વીકાર કરી સર્વથા હિસાથી અટકી, અહિંસક ભાવરૂપ મારા પોતાના ભાવમાં સ્થિર થઈ આત્માનંદને માણીશ !”
SR No.005838
Book TitleSutra Samvedana Part 04
Original Sutra AuthorN/A
AuthorPrashamitashreeji
PublisherSanmarg Prakashan
Publication Year2006
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy