________________
દર્શનાચાર
યાદ કરી તેની નિદા, ગહ કરું છું અને પુનઃ તે ગુણમાં સ્થિર થવા માટે જ આપત્તિકાળમાં પણ નિર્મળ સમ્યગ્દર્શન ગુણને ટકાવનાર આદ્રકુમાર, મહાશ્રાવક સદ્દાલક, મહારાજા શ્રેણિક વગેરે સપુરુષો અને સુલસા, દમયંતી, સીતા જેવી મહાસતીઓનાં ચરણોમાં મસ્તક નમાવી પ્રણામ કરું છું, અને તેમના જેવું સત્વ મારામાં પ્રગટે તેવી પ્રાર્થના કરી પુન: આ ગુણમાં સ્થિર થવા યત્ન કરું છું.” ચિત્તવૃત્તિનું ઘડતર :
આ ગાથામાં બતાવેલા અતિચારોને તો જાણીને છોડવા જ જોઈએ, પણ તે ઉપરાંત સમ્યગદર્શન ગુણને પ્રગટ કરવા, અને પ્રગટ થયેલા આ ગુણને નિર્મળ રાખવા, નીચેના મુદ્દાઓ ઉપર ખાસ ધ્યાન આપવું જોઈએ... : * કોઈ પણ વસ્તુ કે પરિસ્થિતિને કદી એક જ દૃષ્ટિથી ન જોવી, પરંતુ અનેક દૃષ્ટિકોણથી તેને વિચારવી. કોઈ પણ વસ્તુ કે પરિસ્થિતિને એકાંતદષ્ટિથી જોતાં કદાગ્રહ પ્રગટે છે. કદાગ્રહ એ જ મિથ્યાત્વ છે. તેના બદલે અનેકાંતદૃષ્ટિથી પરિસ્થિતિ કે પ્રસંગને જોવામાં આવે તો અન્યની અપેક્ષાઓનો ખ્યાલ આવતાં ક્યાંય રાગ-દ્વેષજન્ય કદાગ્રહ થતો નથી, બલ્ક સમભાવ અને સમતા રહે છે, જે સમ્યક્ત્વનું પ્રથમ લિંગ છે. * કોઈ પણ ધર્મક્રિયા આત્માના રાગાદિ દોષોને ટાળી વીતરાગભાવ તરફ જવા માટે હોય છે. “ક્રિયા કરતાં કરતાં આત્માના કયા દોષો ટળ્યા અને આત્મા વિભાવદશાને ટાળી પોતાના સ્વભાવ તરફ કેટલો અભિમુખ બન્યો? એનું સતત નિરીક્ષણ ચાલુ રાખવું; કેમ કે પોતાના ગુણ-દોષનું યથાર્થ દર્શન તે જ સમ્યગુદર્શન છે. શાસ્ત્રાભ્યાસ એ રીતે કરવો કે જેનાથી હેય-ઉપાદેયનો વિવેક જવલંત બને અને આત્માદિ તત્ત્વ પ્રત્યેની રૂચિ, શ્રદ્ધા તીવ્ર બની જાય; કેમ કે તત્ત્વની રુચિ તે જ સમ્યગ્દર્શન છે. સમ્યગ્દર્શનના કારણભૂત પ્રભુદર્શન આદિની ક્રિયા એવા ઉપયોગપૂર્વક કરવી કે જેના કારણે ભગવાનમાં રહેલા ગુણો તરફનું આકર્ષણ વધે, પોતાના આત્મસ્વરૂપનું દર્શન થાય; કેમ કે સ્વસ્વરૂપના દર્શન માટેનો યત્ન જ આત્માને સમ્યગ્દર્શન સુધી લઈ જાય છે. . આ ઉપરાંત જે રીતે શ્રદ્ધા દૃઢ થાય તે રીતે વારંવાર તત્ત્વોની વિચારણાઓ કરવી એ દર્શનાચાર છે, અને આવા આચારનું પાલન ન કરવું, નિર્વિચારક રહેવું કે વિપરીત આચરણ કરવું, તે સમ્યક્ત્વનો અતિચાર છે.