SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ દર્શનાચાર શ્રાવકે ખાસ વિવેકી બનવું જોઈએ. તદ સંથવો શુત્સિા - તથા કુલિંગીઓનો સંસ્તવ પરિચય (વાર્તાલાપ) કુલિંગીઓનો પરિચય કરવો એટલે મિથ્યામતિઓનો પરિચય કરવો, તેમની સાથે રહેવું, બોલવું, ચાલવું, ભોજન આદિ કરવાં. આવો મિથ્યાત્વીઓનો પરિચય પણ સમ્યક્ત્વના દોષરૂપ છે; કેમ કે પરિચય વધતાં તેમની ક્રિયાઓ જોઈ, તેમની વાતો સાંભળી શ્રદ્ધા વિચલિત થવાની સંભાવના રહે છે. કોઈકવાર આ જ કારણે સાધક સત્યધર્મથી ભ્રષ્ટ પણ થાય છે. આથી જ નિર્મળ એવા સમ્યગ્દર્શનગુણને ટકાવવા આ પાંચમા અતિચારનું સેવન પણ ટાળવું જરૂરી છે. કુલિંગીઓની પ્રશંસા અને પરિચય જેમ વર્ષ છે, તેમ જૈનકુળમાં જન્મ લેવાના કારણે બાહ્ય દૃષ્ટિથી જૈન હોવા છતાં જેઓ નાસ્તિક હોય, આત્માદિ વિષયમાં જેમને વિશ્વાસ ન હોય અને માત્ર ભૌતિક સુખમાં જ રાચનાર અને નાચનાર હોય, તેવા નાસ્તિક લોકોનો પરિચય કે તેમના ઉપરછલ્લી નજરે દેખાતા ઔદાર્યાદિ ગુણોની પ્રશંસા કરવી એ પણ સમ્યગ્દર્શનને દુષિત કરનાર બને છે. માટે સમ્યગ્દર્શનને વરેલા આત્માએ આવી પ્રશંસા ન કરવી જોઈએ. સત્તારૂઢારે પવિત્રને સર સā - દિવસ દરમ્યાન સમ્યક્ત્વના વિષયમાં જે કોઈ અતિચાર લાગ્યો હોય તે સર્વનું હું પ્રતિક્રમણ કરું છું. સમ્યક્તના વિષયમાં આ ગાથામાં જણાવેલા પાંચ અતિચારો સિવાય પણ જે કોઈ નાના-મોટા અતિચારો દિવસ દરમ્યાન સેવાયા હોય. તે સર્વ અતિચારોને સ્મરણમાં લાવી સાધકે તેની નિંદા કરવાની છે અને ગુરુ સમક્ષ ગર્તા કરવાની છે. નિંદા અને ગહ કરવા દ્વારા શ્રાવક તેનાથી પાછો ફરી સમ્યગ્દર્શનના શુભ ભાવમાં અને શુભ આચારોમાં સ્થિર થાય છે. આ જ તેના માટે સમ્યગુદર્શનના અતિચારોનું પ્રતિક્રમણ છે. - આ બંને ગાથા બોલતાં શ્રાવક વિચારે કે “સર્વ સુખના સાધનભૂત અને સર્વ ગુણના આધારતુલ્ય આ સમ્યગ્દર્શન ગુણને પામવા અને પામેલાને ટકાવવા માટે ખૂબ સાવધ રહેવું જરૂરી હતું. બાહ્ય આચારો અને અંતરંગ વિચારોમાં પૂરી સાવધાની રાખવી જરૂરી હતી. કોઈની વાતો અને વિચારોમાં મારે અટવાઈ જવાનું ન હતું. તે છતાં પણ પ્રમાદના શરણે, અસાવધાનીના કારણે કે મિથ્થામતીઓની વાતો સાંભળવાને કારણે મેં આ નિર્મલગુણને મલિન કર્યો છે, માટે સમ્યગ્દર્શનને મલિન કરનાર સર્વ દોષોને
SR No.005838
Book TitleSutra Samvedana Part 04
Original Sutra AuthorN/A
AuthorPrashamitashreeji
PublisherSanmarg Prakashan
Publication Year2006
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy