SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૦ સૂત્રસંવેદના-૪ વિતિગિચ્છા નામનો સમ્યગ્દર્શનનો ત્રીજો અતિચાર છે. જેમ કે એવું વિચારવું કે ધર્મની સુંદર આરાધના કરી, પંડિતમરણને પામી દેવલોકમાં ગયેલા કોઈ આવતા નથી, તો તપ આદિનું ફળ દેવલોક આદિ હશે કે નહિ ?” અથવા વિતિગિચ્છા એટલે જુગુપ્સા. તત્ત્વને જાણનાર આત્મા સમજે છે કે આત્માની શોભા ગુણસંપત્તિથી છે, સુંદર વસ્ત્ર કે સુશોભિત દેહથી નહિ સુશોભિત દેહ તો રાગનું કારણ હોઈ ક્યારેક બ્રહ્મચર્ય વ્રતને હાનિ પણ પહોંચાડે છે. આ તત્ત્વને સમજતા મુનિભગવંતો બ્રહ્મચર્યવ્રતની સુરક્ષા માટે દેહ કે વસ્ત્રની વિભૂષા ન કરતાં તેને મલિન રાખે છે. “વસ્ત્રાદિની મલિનતા મુનિનું ભૂષણ છે, દૂષણ નથી.” એવું સર્વજ્ઞ વીતરાગ ભગવંતે કહ્યું હોવા છતાં પૌલિક આસક્તિને કારણે આવા સર્વજ્ઞકથિત ઉત્તમ આચારની જુગુપ્સા કરવી, તે વિચિકિત્સા નામનો સમ્યકત્વનો ત્રીજો અતિચાર છે. આ તત્ત્વને નહિ સમજતા અજ્ઞાનીઓ તેમની જુગુપ્સા-દુર્ગચ્છા કરી પોતાના સમ્યકત્વને મલિન કરે છે. પસંસ - કુલિંગીઓની પ્રશંસા. મોક્ષમાર્ગની સાધનામાં સહાયક ન બનતાં બાધક બને તેવા વેષને કુલિંગ કહેવાય છે. જેઓનું લિંગ, જેઓનો વેષ તથા આચાર વગેરે કુત્સિત છે - શિવસુખ પ્રાપ્તિમાં બાધક છે, તેઓ કુલિંગી કહેવાય છે. કુલિંગ સાથે સંકળાયેલા આચાર, વિચાર વગેરેનું પાલન કરનારને પણ કુલિંગી કહેવાય છે. આવા કુલિંગીના વ્યવહારો સામાન્ય રીતે જોતાં પહેલી નજરે કદાચ સારા પણ દેખાય, પરંતુ સારા દેખાતા તે આચાર-વિચાર કે ઉચ્ચારી મોક્ષમાર્ગમાં બાધક બને તેવા જ હોવાથી, તેની પ્રશંસા કરવી તે ઉન્માર્ગની પ્રશંસા છે, જેનાથી અનેક આત્માઓ સારામાર્ગથી ભ્રષ્ટ બની ઉન્માર્ગમાં ચાલ્યા જાય છે, સમ્યકત્વથી હારી જાય છે, અને મિથ્યાત્વમાં જોડાઈ જાય છે અને એમાં સ્થિર પણ થઈ જાય છે; તેવા કુલિંગીઓના આચારાદિની પ્રશંસા કરવાથી આ સર્વ દોષોમાં નિમિત્ત બનવાને કારણે સાધક સ્વયં પણ બોધિદુર્લભ બને, માટે કુલિંગીની પ્રશંસા કરવી એ સમ્યકત્વનો ચોથો અતિચાર છે. કયારેક મિથ્યાદૃષ્ટિઓના કષ્ટ, મંત્ર, ચમત્કાર આદિ જોઈ મંદ શ્રદ્ધાવાળા જીવો પ્રભાવિત થઈ જાય છે, અને ત્યારે આ ધર્મ કેવો સુંદર છે, તેમના ગુરુઓમાં કેવી શક્તિ છે વગેરે બોલવારૂપ પ્રશંસા થઈ જાય છે, ત્યારે સમ્યકત્વ મલિન થાય છે; અને તેનાથી ગાઢ મિથ્યાત્વમોહનીયકર્મ પણ બંધાય છે. માટે આ દોષથી બચવા 2. વિિિાજીના સ્થાને વિચ્છ પાઠ પણ છે. તેનો અર્થ વિપુણા તત્ત્વને જાણનારની જુગુપ્સા, 3. સ્મિતે સિ વિદ્યતે શ્રેષાં તે કુફિનઃ તેવું !
SR No.005838
Book TitleSutra Samvedana Part 04
Original Sutra AuthorN/A
AuthorPrashamitashreeji
PublisherSanmarg Prakashan
Publication Year2006
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy