________________
દર્શનાચાર
વિશેષાર્થ
જગતુવર્તી સર્વ ભાવો જેવા છે તેવા જ જોવા, અને તેવી જ શ્રદ્ધા કરવી, તે સમ્યગ્દર્શન છે. જગતના સર્વ ભાવોનું યથાર્થ દર્શન મોહાધીન જીવ સ્વયં કરી શકતો નથી. આથી આ ભાવોને જાણી, તેમાં શ્રદ્ધા કરવા માટે સૌ પ્રથમ, “સર્વ વસ્તુને જાણનાર સર્વજ્ઞ અરિહંત પરમાત્મા તે જ મારા દેવ છે, તેમના વચનાનુસાર ચાલનાર નિગ્રંથ ગુરુભગવંતો તે જ મારા ગુરુ છે અને શ્રી જિનેશ્વર ભગવંત બતાવેલો ધર્મ તે જ તત્ત્વભૂત છે.” આવી દઢ શ્રદ્ધા પેદા કરવી જોઈએ. એ શ્રદ્ધા પણ સમ્યગ્દર્શન છે.
મોક્ષના અનન્ય સાધનરૂપ આ સમ્યગ્દર્શનગુણને પ્રગટાવવા, અને પ્રગટ થયેલા આ ગુણને ટકાવવા, મિથ્થામતિઓનાં સ્થાનોમાં જવું-આવવું નહિ વગેરે બાહ્યાચારનું અને નિઃશંકિતાદિ અંતરંગ આચારોનું અવશ્ય પાલન કરવું જોઈએ. તે કરવામાં ન આવે તો કઈ રીતે અતિચાર લાગે છે, તે આ બે ગાથામાં બતાવે છે. તેમાં આ ગાથામાં બાહ્ય અતિચારોને બતાવ્યા છે. - आगमणे निग्गमणे, ठाणे चंकमणे अणाभोगे, अभिओगे अ નિકોને' - સમ્યક્ત્વવ્રતનો મેં સ્વીકાર કર્યો છે.” તેવો ઉપયોગ નહિ રહેવાથી, અધિકારના વશથી કે ફરજી, (મિથ્યાષ્ટિઓના મહોત્સવમાં કે તેમના મંદિરમાં) જવા-આવવામાં, તેઓના સ્થાનમાં ઊભા રહેવામાં કે આમતેમ ફરવામાં જે કોઈ દોષ લાગ્યો હોય)
જીવ ભાવુક દ્રવ્ય છે. તેને જેવાં જેવાં નિમિત્તો મળે છે તે તે રૂપે તે ઢળી પડે છે. આથી મહામૂલ્યવાન સમ્યગ્દર્શનને સ્વીકારી તેને ટકાવવા ખૂબ જાગૃત રહેવું જોઈએ, મિથ્થામતિઓના સ્થાનમાં જવું-આવવું ન જોઈએ કે તેમના પરિચયમાં ' આવવું ન જોઈએ; કેમ કે તેમ કરવાથી આ વ્રતમાં મલિનતા આવવાની સંભાવના રહે છે. આથી આ સર્વને સમ્યક્તવિષયક અતિચારસ્વરૂપ જણાવ્યા છે. અમોને - ઉપયોગ ન રહેવાના કારણે
“સમ્યક્ત્વવ્રતનો મેં સ્વીકાર કર્યો છે, માટે આ વ્રતને ટકાવવા કે શ્રદ્ધાભાવને દઢ રાખવા મિથ્યામતિઓનાં સ્થાનોમાં મારે જવું ન જોઈએ.” આવો ઉપયોગ નહિ રહેવાના કારણે; જે મિથ્યાષ્ટિઓના મહોત્સવોમાં કે મંદિરોમાં, ગામને 1. અખાણોને પગલે આ નિકોને આ ત્રણે શબ્દમાં સપ્તમી વિભક્તિ છે, પણ તે તૃતીયાના
અર્થમાં છે.