________________
દર્શનાચાર
અવતરણિકા:
જ્ઞાનાચારના અતિચારો દર્શાવ્યા, હવે દર્શનાચારમાં જે બાહ્ય ત્રણ કારણોથી અતિચારનું સેવન થયું હોય તેનું પ્રતિક્રમણ કરવાની ઈચ્છાથી કહે છે
ગાથા:
आगमणे निग्गमणे, ठाणे चंकमणे अणाभोगे । अभिओगे अ निओगे, पडिक्कमे देसि सव्वं ।।५।।
અન્વયસહિત સંસ્કૃત છાયા :
अनाभोगे अभियोगे च नियोगे आगमने निर्गमने ।
स्थाने चङ्क्रमणे देवसिकं सर्वम् प्रतिक्रामामि ।। ગાથાર્થઃ
અનાભોગથી=નહીં વિચારવાને કારણે, “સમ્યકત્વવ્રતનો મેં સ્વીકાર કર્યો છે' તેવો ઉપયોગ નહિ રહેવાથી; અભિયોગથી=રાજા વગેરેના દબાણથી; કે નિયોગથી=અધિકારના વશથી કે ફરજથી; (મિથ્યાષ્ટિઓના મહોત્સવમાં કે તેમના મંદિરમાં) આવવામાં, જવામાં, તેઓના સ્થાનમાં ઊભા રહેવામાં કે આમ તેમ ફરવામાં, દિવસ દરમ્યાન સમ્યગ્દર્શનના વિષયમાં જે કોઈ દોષનું સેવન થયું હોય તે સર્વનું હું પ્રતિક્રમણ કરું છું.