________________
જ્ઞાનાચાર
૬૩
અતિચાર છે. આ ગાથામાં કાલ-વિનય આદિ ન સાચવવારૂપ અતિચાર ન બતાવતાં અપ્રશસ્ત ઈન્દ્રિય, કષાય અને યોગને જ્ઞાનના અતિચાર બતાવ્યા, તેનું શું કારણ ?
તૃપ્તિ : ‘નાણસ્મિ' સૂત્રમાં શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ અને વૃદ્ધિનાં સાધનોને જ્ઞાનના આચાર કહ્યા છે, અને તેના અપાલનને અતિચાર કહ્યા છે. જ્યારે અહીં પ્રાપ્ત થયેલ જ્ઞાનશક્તિ શુભમાર્ગે ન વાપરવી, કે વિપરીત રીતે - અપ્રશસ્ત કાર્યોમાં વાપરવી, તેને જ્ઞાનના અતિચાર તરીકે કહી, ‘જ્ઞાનાવરણીયકર્મબંધ'નું કારણ જણાવ્યું છે. કહેવાય છે કે ‘જે જ્ઞાન હોવા છતાં રાગાદિ પ્રવર્તે તે જ્ઞાન વાસ્તવમાં જ્ઞાન જ નથી.'
- વારુવૃત્તિ
4. તખ્તાનમેવ ન મવતિ, સ્મિન્રુવિતે વિભાતિ રાવળઃ | तमसः कुतोऽस्ति शक्तिर्दिनकरकिरणाग्रतः स्थातुम् ।। જેનો ઉદય થયે છતે રાગાદિકનો સમૂહ મર્યાદા બહાર જઈને ખીલે-નિયમ ઓળંગીને આગળ જતો રહે તે (જ્ઞાન જણાતું હોય તો પણ) જ્ઞાન જ નથી. જ્ઞાનરૂપ સૂર્યના કિરણો આગળ અતિચાર રૂપ અંધકારને રહેવાની શક્તિ જ ક્યાંથી હોય ?