________________
જ્ઞાનાચાર
ઉપયોગ કરતાં આવડે તો ઝેર પણ ઔષધરૂપ બની શકે અને રમાડતાં આવડે તો હિંસક સાપ પણ આજીવિકાનું સાધન બની શકે છે. તેમ વિવેકપૂર્વક વપરાયેલા આ કષાયો આત્મહિતમાં સહાયક પણ બની શકે છે. માટે આવા કષાયને પ્રશસ્ત કષાય કહેવાય છે.
આ કારણથી સમ્યગુજ્ઞાનને વરેલો સાધક, જ્યાં સુધી સંપૂર્ણ કષાય વિના જીવવાની શક્તિ પ્રાપ્ત ન કરી શકે ત્યાં સુધી તે પોતાના કષાયોનો પ્રવાહ બદલી તેને અપ્રશસ્તમાંથી પ્રશસ્ત બનાવવા પ્રયત્ન કરે છે. જિજ્ઞાસા અપ્રશસ્ત કષાયને પ્રશસ્ત કરવા શું કરવું જોઈએ? તૃપ્તિઃ અપ્રશસ્ત કષાયને પ્રશસ્ત બનાવવા વિવેકપૂર્વક વિચારવું જોઈએ કે, • મને કયા કષાયો પરેશાન કરે છે? તેની માત્રા કેટલી છે? • કયા સ્થાનમાં જોડવાથી આ કષાયો તગડા થવાને બદલે નબળા પડી શકે
તેમ છે ? ' • કઈ રીતે તેનો ઉપયોગ કરવાથી સ્વ-પરનું હિત થઈ શકે તેમ છે ? • કષાયોનો ઉપયોગ કરતી વખતે પણ વિવેક અને સાવધાની જાળવવા શું
કરવું? || આ દરેક બાબતનો વિચાર કર્યા પછી જ સાધક જો કષાયનો ઉપયોગ કરે, તો જરૂર અપ્રશસ્ત કષાયને પ્રશસ્ત કરી પરંપરાએ તે કષાયોનો સમૂળ નાશ પણ કરી શકે.
લેઝર સર્જરી કરનાર ડોક્ટર, જેમ સ્પર્શ માત્રથી બાળી નાંખનાર તીર્ણ લેઝર કિરણો વડે પણ અત્યંત વિવેક અને સાવધાનીપૂર્વક, જ્યાં જેટલાં કિરણોની જરૂર હોય ત્યાં તેટલા પ્રમાણમાં જ તેનો ઉપયોગ કરીને, રોગયુક્ત ભાગને કાઢી દર્દીને રોગમુક્ત કરી શકે છે, તે જ રીતે સાધક પણ સંસારમાં ડુબાડનાર તીક્ષ્ણ કષાયો વડે પણ વિવેક અને સાવધાનીપૂર્વક જ્યાં જેટલા કષાયોની જરૂર હોય ત્યાં તેટલા પ્રમાણમાં તેનો ઉપયોગ કરી સંસારસાગરને તરી પણ શકે છે.
સાધક સમજે છે કે સંસાર અને તેની સામગ્રી પ્રત્યેનો પોતાનો રાગ ભયંકર છે. આમ છતાં રાગમુક્ત જીવન જીવવું તેના માટે આ કક્ષામાં શકય નથી. આથી રાગને નબળો પાડવા અને તેના દ્વારા જ આત્મહિત સાધવા, સાધક રાગનાં સ્થાનો બદલે છે. રાગી પાત્રોના બદલે વીતરાગી દેવ, તેમના માર્ગે ચાલનારા સદ્ગુરુ ભગવંતો તથા સાધર્મિકો આદિ સાથે પોતાના રાગને જોડે છે. ઉત્તમ