SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્રસંવેદના-૪ આ ચાર કષાયો જીવના પરમ શત્રુ છે, સંક્લેશ અને દુઃખોનું કારણ છે. તેની હાજરીમાં જીવ પોતાનું સુખ કયારેય માણી શકતો નથી. જોકે આ કષાયો દુઃખનું કારણ છે, તો પણ તેનો સદુપયોગ કરવામાં આવે તો તે આત્મહિતમાં સહાયક પણે બની શકે છે. માટે જ શાસ્ત્રકારોએ તેના બે પ્રકાર પાડ્યા છે: (૧) “પ્રશસ્ત કષાય અને (૨) અપ્રશસ્ત કષાય. આત્મહિતમાં સહાયક બને તેવા કષાયને પ્રશસ્ત કષાય કહેવાય છે, અને આત્મહિતમાં બાધક બને તેવા કષાયને અપ્રશસ્ત કપાય કહેવાય છે. આ ગાથામાં આવા અપ્રશસ્ત કષાય વડે જે કર્મ બાંધ્યું હોય તેની જ નિંદા કરવામાં આવી છે, પણ પ્રશસ્ત કષાયની નહિ; કેમ કે ભલે તે કષાય છે, પણ જેમ હિંસક શસ્ત્ર જો વાપરતાં આવડે તો તે સુરક્ષાનું સાધન બની શકે છે, 4. કષાય પ્રશસ્ત અપ્રશસ્ત : ક્રોધ શિષ્ય કે પુત્રાદિને સુધારવા, દેવ- | પોતાનું ધાર્યું ન થાય, કે પોતાને ઇષ્ટ વસ્તુ કે ગુરુ કે ધર્મની હાનિ કરનારાને શિક્ષા વ્યક્તિને કોઈ નુકસાન પહોંચાડે, કે સારા આપવા, કે પોતાનાં કર્મ, કુસંસ્કાર નરસા પ્રસંગોને કારણે જે ગુસ્સો આવે છે તે કે દોષો ઉપર વિવેકપૂર્વક કરવામાં - અપ્રશસ્ત ક્રોધ છે.' આવતો ક્રોધ પ્રશસ્ત ક્રોધ છે. માન ઉત્તમ દેવ-ગુરુ-ધર્મ કે કુળ આદિ દેવ-ગુરુની કૃપાથી પુણ્યયોગે મળેલાં રૂપ, મળ્યાનું માન અર્થાત્ “આવી ઉત્તમ ઐશ્વર્ય, કુળ, જાતિ આદિનું અભિમાન, કે ચીજો મળ્યા પછી હીન પ્રવૃત્તિ મારે જ્ઞાનનું, બળનું કે આવડતનું અભિમાન કરવું ન જ કરાય, તેવો વિવેક', સ્વીકારેલાં તે અપ્રશસ્ત માન છે. વ્રતાદિમાં અક્કડતા પ્રશસ્ત માયા છે. માયા ધર્મની પ્રાપ્તિ માટે, સ્વ-પર આત્માના ભૌતિક સ્વાર્થને સાધવા માટે કોઈપણ કાર્યમાં હિત માટે કે પ્રવચનની નિન્દાને કરાતી માયા, વક્રતા, અન્યને છેતરવાની અટકાવવા માટે, વિવેકપૂર્વક કરાતી બુદ્ધિ, તથા ભાવ વિના લોકની ચાહના મેળવવા માયા અથવા પોતાના મન અને કરાતી દેવ-ગુરુની ભક્તિ તે અપ્રશસ્ત ઈન્દ્રિયોને વિકારી બનતાં ઠગવાં તે માયા છે. પણ પ્રશસ્ત માયા છે. લોભ આત્મિક ગુણોના વિકાસ માટે જ્ઞાન, મમતાનાં બંધનોને દઢ કરે તેવા ધન-ધાન્યાદિ દર્શન, ચારિત્રાદિ ગુણોને વિકસાવ- પરિગ્રહ માટે, કે પ્રમાદને પોષવા માટે થતી વાનો લોભ, ધાર્મિક કાર્યો કરવાનો ઇચ્છાઓ, તે અપ્રશસ્ત લોભ કહેવાય છે. લોભ, યથાશક્તિ તપ-ત્યાગ કરવાનો લોભ પ્રશસ્ત છે.
SR No.005838
Book TitleSutra Samvedana Part 04
Original Sutra AuthorN/A
AuthorPrashamitashreeji
PublisherSanmarg Prakashan
Publication Year2006
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy