________________
જ્ઞાનાચાર
વિશેષાર્થ :
નં વર્મિતિર્દિ (અખત્યેÉિ) - અપ્રશસ્ત ઇન્દ્રિયો વડે જે કર્મ બાંધ્યું હોય.
નં વાન્ - જે બાંધ્યું હોય, જ્ઞાનને મલિન કરવા દ્વારા અથવા જ્ઞાનના અતિચારનું આસેવન કરવા દ્વારા જે અશુભ કર્મ બાંધ્યું હોય.
આ અશુભ કર્મ શેનાથી બાંધ્યું હોય, તે હવે જણાવે છેફેલિહિં (અપ્પસથેજિં) - અપ્રશસ્ત ઇન્દ્રિયો વડે આંખ, નાક, કાન, જીભ અને ચામડી : આ પાંચ ઇન્દ્રિયો છે, અને તે શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શના વિષયનું આત્માને જ્ઞાન કરાવે છે.
જોવાની શક્તિ આંખની છે, છતાં નબળી આંખવાળી વ્યક્તિ ચશ્માના માધ્યમ વિના જોઈ શકતી નથી. તે જ રીતે જ્ઞાન એ આત્માનો ગુણ છે, તો પણ જ્ઞાનાવરણીયકર્મથી આવૃત શક્તિવાન આત્મા સ્વયં સર્વ વસ્તુનું જ્ઞાન કરી શકતો નથી. તેને રૂપને જોવા આંખ, ગંધને પરખવા નાક, શબ્દને સાંભળવા કાન, રસને જાણવા જીભ અને સ્પર્શનું જ્ઞાન મેળવવા ત્વચાની જરૂર પડે છે. જ્ઞાનનાં આ પાંચ સાધનોને પાંચ ઇન્દ્રિયો કહેવાય છે. માત્ર સમ્યગ જ્ઞાનનાં સાધન તરીકે વપરાતી અથવા હિતકારી માર્ગે પ્રવર્તતી ઇન્દ્રિયો તે પ્રશસ્ત ઇન્દ્રિયો છે, અને સમ્યફ જ્ઞાનથી વિપરીત માર્ગે, આત્માનું અહિત થાય, રાગાદિભાવોની વૃદ્ધિ થાય તેવી અનુચિત રીતે પ્રવર્તતી ઇન્દ્રિયો તે અપ્રશસ્ત ઇન્દ્રિયો છે. આ ઇન્દ્રિયોનો અપ્રશસ્ત વ્યવહાર જ્ઞાનના અતિચાર સ્વરૂપ છે અને કર્મબંધનું કારણ છે.
1. . . પ્રશસ્ત પ્રવૃત્તિ
અપ્રશસ્ત પ્રવૃત્તિ ચક્ષુરિન્દ્રિય આત્મકલ્યાણાર્થે અનંત ગુણના મોહાધીન બનાવે તે રીતે સ્ત્રીનાં અંગોપાંગાદિ આંખ નિધાન પ્રભુનાં તથા ગુણવાન આત્માનાં જોવાં, મોહ વધે તેવું મિથ્યાશ્રુત વાંચવું,
‘દર્શન કરવાં, સગ્રંથનું વાંચન કરવું, નાટક - પિશ્ચર જોવાં, કુતૂહલતાથી જીવદયાના હેતુથી જયણાપૂર્વક વર્તવું. દુનિયાભરનું કહેવાતું સૌંદર્ય જોવું,
જરૂરિયાત વિના Window-shopping કરવું. ધ્રાણેન્દ્રિય દેવ-ગુરુની ભક્તિ માટે અન્ન, ફળ, ભૌતિક આનંદ માટે અત્તર, સેન્ટ, નાક ઔષધ વગેરે યોગ્ય છે કે નહિ તેની ફૂલો, સાબુ, ક્રીમ, પાવડર વગેરે સુંઘવા.
પરીક્ષા કરવા તેને સૂંઘવાં. સુગંધનો રાગ અને દુર્ગધનો દ્વેષ કરવો.