________________
અવતરણિકા :
સર્વ પ્રકારના દોષોના મૂળ સમાન પરિગ્રહ અને આરંભ સંબંધી પાપોનું પ્રતિક્રમણ કરીને હવે ક્રમશઃ જ્ઞાન, દર્શન અને ચારિત્રવિષયક લાગેલા દોષોનું પ્રતિક્રમણ કરવાનું છે. તેમાં પ્રથમ જ્ઞાનના અતિચારોની નિંદા-ગર્હા કરતાં કહે છે
ગાથા :
જ્ઞાનાચાર
जं बद्धमिंदिएहिं, चउहिं कसाएहिं अप्पसत्थेहिं
रागेण व दोसेण व, तं निंदे तं च गरिहामि ।। ४ ।।
અન્વયસહિત સંસ્કૃત છાયા :
अप्रशस्तैरिन्द्रियैः चतुर्भिः कषायैः रागेण वा द्वेषेण वा ચક્ (અશુભં વર્મમ્) વન્દ્વમ્ તવ્ નિન્વામિ તત્ ચ નન્હેં || ૪ ||
ગાથાર્થ :
અપ્રશસ્ત ભાવોમાં પ્રવર્તતી પાંચ ઇન્દ્રિયો વડે, ક્રોધાદિ ચાર કષાયો વડે (અને ઉપલક્ષણથી મનોયોગ, વચનયોગ અને કાયયોગ-એમ ત્રણયોગ વડે), રાગથી અથવા દ્વેષથી જે કોઈ અશુભ કર્મ બાંધ્યું હોય, તેને (આત્મસાક્ષીએ) હું નિંદું છું અને (ગુરુ સમક્ષ) તેની ગર્હા કરું છું.