________________
‘વંદિત્તુ સૂત્ર'
+ પરિગ્રહ બાકીનાં સત્તર પાપોને ખેંચી લાવે છે, માટે પરિગ્રહ પાપનું ઘર છે. આ રીતે પ્રજ્ઞાવાન લોકોને પણ પરિગ્રહ હેરાન-પરેશાન કરી મૂકે છે, તો સામાન્ય લોકોનું તો શું કહેવું ? પરિગ્રહ તો વળગાડની જેમ ક્લેશ અને વિનાશનું કારણ બને છે.
૫૩
• વળી, પરિગ્રહ” ન મળે ત્યારે કાંક્ષા - મેળવવાની ઈચ્છા, નાશ પામે ત્યારે શોક, મળ્યા પછી રક્ષણ, ઉપભોગમાં અતૃપ્તિ - આમ પરિગ્રહની આગળ પાછળ અને પરિગ્રહ ભોગવતાં પણ જીવ દુઃખરૂપ બંધનોથી છૂટી શકતો નથી.
આવી વિચારણાઓથી શ્રાવક પોતાની ત્યાગભાવના જ્વલંત બનાવે છે.
પરિગ્રહના પાપથી બચવા શ્રાવક જેમ પદાર્થોની અનિત્યતા આદિ વિચારે છે, તેમ સાવઘ પ્રવૃત્તિઓથી બચવા ‘આત્મવત્ સર્વભૂતેષુ’”ની ભાવના મનમાં રાખી વિચારે છે કે “પ્રત્યેક જીવ મારા સમાન જ છે. મને જેમ સુખ ગમે છે અને દુઃખ નથી ગમતું, તેમ તેમને સુખ ગમે છે અને દુ:ખ નથી જ ગમતું. તેથી હું કોઈના સુખને છીનવી ન લઉં કે કોઈ પણ જીવને મારાથી પીડા ન થાય. હું કોઈના દુઃખમાં કે મૃત્યુમાં નિમિત્ત ન બનું તે માટે મારે ખૂબ સાવધ રહેવું જોઈએ.”
આવી વિચારધારાના કારણે ભૌતિક પદાર્થોની ક્ષણભંગુરતાને જાણીને, તેના પ્રત્યે અસારતાનો ભાવ ઉત્પન્ન થાય છે, અને સાવઘ પ્રવૃત્તિથી ઉત્પન્ન થતી વૈરની પરંપરાને જાણીને તેના પ્રત્યેની અરુચિ પ્રગટ થાય છે. પરિણામે કદાચ ભૌતિક પદાર્થોનો સંગ્રહ કરવો પડે કે સાવઘ પ્રવૃત્તિ ક૨વી પડે, તો પણ જીવ કદી રાચીમાચીને કરતો નથી. આથી જ શ્રાવકને પરિગ્રહ મેળવતાં કે સાવદ્ય પ્રવૃત્તિ કરતાં પણ પાપના અનુબંધો પડતા નથી. પ્રતિક્રમણનું આ જ ફળ છે કે કાં તો પાપ થાય નહિ અને થાય તો રાચી માચીને ન થાય.
7. પરિપ્રશ્નેપ્રાપ્તનદેપુ જાડ્યા - ગોળો, પ્રાપ્તેષુ ચ રક્ષળમ્,
૩૫મોને ચાતૃપ્તિ:, રૂત્યેનું પરિપ્રશ્ને સતિ દુ:હાત્મવાદન્ધનાત્ર મુખ્યત કૃતિ । -સૂયગડાંગ સૂત્રની ટીકા
8. ગર્ભવત્ સર્વભૂતપૂ, સુદ્ધ-દુ:ણે પ્રિયાપ્રિયે ।
चिन्तन्नात्मनोऽनिष्टां हिंसामन्यस्य नाचरेत् ।।
- યોગશાસ્ત્ર