SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ પર સૂત્રસંવેદના-૪ ♦પરિગ્રહ દ્વેષનું ઘર છે, કેમ કે, પરિગ્રહની મમતાના કારણે, જ્યારે કોઈ પોતાની સંપત્તિ ઉપર નજર નાંખે કે તેને નુકસાન પહોંચાડે, ત્યારે દ્વેષ અને દુર્ભાવ થાય છે, તેની સાથે દુશ્મનાવટ થાય છે. + પરિગ્રહથી પ્રાપ્ત થતી આપત્તિઓ ધીરજનો નાશ કરે છે, માટે પરિગ્રહ ધૃતિને ઘટાડનાર કહેવાય છે. * પરિગ્રહને કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચાડનાર વ્યક્તિ પ્રત્યે ક્રોધ આવવાને કારણે જીવનમાંથી સહનશીલતા અને ક્ષમા નાશ પામી જાય છે, તેથી પરિગ્રહ ક્ષમાનો શત્રુ કહેવાય છે. - પરિગ્રહ વિક્ષેપનો સર્જક છે; પરિગ્રહને કારણે પરસ્પરના સંબંધોમાં, વ્યવહારમાં વિક્ષેપો પડવાના શરૂ થઈ જાય છે. ♦ પરિગ્રહ વધતાં જેમ જેમ અણસમજુ લોકો તરફથી માન આદિ મળે છે, તેમ તેમ અહંકાર અને મદ વધતાં જાય છે, માટે પરિગ્રહને મદનો મિત્ર કહ્યો છે. પરિગ્રહના કારણે સતત ઇષ્ટ વસ્તુ મેળવવાની ચિંતા અને તેના સંરક્ષણ આદિની ચિંતાથી જીવનમાં આર્ત-રૌદ્ર ધ્યાન ઘર કરી જાય છે. માટે તેને દુર્ધ્યાનનું ભવન કહ્યું છે. ♦ પરિગ્રહ સ્વયં એક કષ્ટકારી શત્રુ છે. આપણે એમ માનીએ છીએ કે પરિગ્રહ એક મિત્રની જેમ તકલીફોમાં સહાયક બનશે, પરંતુ જીવનમાં જેમ જેમ પરિગ્રહ વધે છે તેમ તેમ કષ્ટોનો પ્રારંભ થાય છે. પરિગ્રહને મેળવવામાં, સાચવવામાં, સંરક્ષણમાં જાતજાતનાં શારીરિક, માનસિક, વ્યવહારિક કષ્ટો ઉઠાવવાં પડે છે, અને મૂઢતાને કારણે આ કષ્ટો કષ્ટો નથી લાગતા. - પરિગ્રહના કારણે દુઃખનો જન્મ થાય છે અને સુખનું મૃત્યુ થાય છે. પૈસાથી મનની શાંતિ, તનની સ્વસ્થતા ચાલી જાય છે, અનેક પ્રકારના રોગો આવે છે. 6. દ્વેષસ્યાવતાં ધૃતે પચવ: ક્ષાન્તઃ પ્રતીપો વિધિ-, र्व्याक्षेपस्य सुहृन्मदस्य भवनं ध्यानस्य कष्टो रिपुः । दुःखस्य प्रभवः सुखस्य निधनं पापस्य वासो निजः, प्राज्ञस्यापि परिग्रहो ग्रह इव क्लेशाय नाशाय च ॥ -સૂયગડાંગ સૂત્રની ટીકા
SR No.005838
Book TitleSutra Samvedana Part 04
Original Sutra AuthorN/A
AuthorPrashamitashreeji
PublisherSanmarg Prakashan
Publication Year2006
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy