________________
સૂત્રસંવેદના-૪
પાપયુક્ત પ્રવૃત્તિઓને કરતાં-કરાવતાં કે તેની અનુમોદના કરતાં જે કોઈ દોષ લાગ્યો હોય તે સર્વનું હું પ્રતિક્રમણ કરું છું.
આ ગાથા બોલતાં શ્રાવક વિચારે કે
૫૦
“હું અનંત સુખનો સ્વામી છું. અનંત જ્ઞાનાદિ ગુણો મારી સંપત્તિ છે. પણ... મોહાધીનતાના કારણે હું આ વાત ભૂલી ગયો છું; અને જે મારું નથી, મને વાસ્તવિક સુખ આપનાર નથી તે બાહ્ય-અત્યંતર પરિગ્રહમાં હું ફસાયો છું. તેને કારણે પાપયુક્ત અનેક આરંભ-સમારંભો મેં આદર્યા છે. મારા કાલ્પનિક સુખ અને સ્વાર્થ ખાતર મેં ઘણા જીવોને દુ:ખી કર્યા છે. આ મેં ખોટું કર્યું છે. આનાથી મેં મારા આત્માનું જ અહિત કર્યું છે...
હવે મારે આ પાપની પરંપરા ચલાવવી નથી. તે માટે આજથી મારે એવો સંકલ્પ કરવો છે કે પર પદાર્થો પાછળની આંધળી દોટ ઉપર અંકુશ આવે. સપાપ આરંભ છૂટી જાય, છેવટે મર્યાદિત બને, અને નિષ્પાપ એવાં પણ આરંભાદિનાં કાર્ય જયણાપ્રધાન બને. મનથી સર્વ પદાર્થોની મમતા ન છૂટે તોપણ બાહ્યથી તો તેનો ત્યાગ કરવા યત્ન કરું.
જો આવું કાંઈ જ ન કરી શકું તો મારી આ પ્રતિક્રમણની ક્રિયા, પાપથી મારું પ્રતિક્રમણ કઈ રીતે કરાવી શકે ? હે પ્રભુ ! આજે આપને પ્રાર્થના કરું છું કે મારા સંકલ્પને સાકાર કરી શકું, અને પુનઃ પુન: પરિગ્રહ અને સપાપ આરંભની વૃત્તિપ્રવૃત્તિને આધીન ન બનું, તેવું સત્ત્વ મને આપના પ્રભાવે પ્રાપ્ત થજો, જેથી હું આ પાપમાંથી ઊગરી શકું !”
ચિત્તવૃત્તિનું ઘડતર :
એટલું ખાસ ધ્યાનમાં રાખવું કે “હું પ્રતિક્રમણ કરું છું.” એટલું બોલવા માત્રથી પ્રતિક્રમણ થઈ જતું નથી, પરંતુ જે પાપ થયું હોય, તે પાપથી પાછા ફરવા સ્વરૂપ
(૨) નિષેધ કરવા છતાં તેઓ પાપથી અટકે નહિ, અને હિંસાદિ પાપ કરીને જે કમાય,
તે કમાણીનો પોતે ઉપયોગ કરે, વાપરે, તો ઉપભોગ કરવારૂપે પણ સાથ આપ્યો ગણાય, તે ઉપભોગ અનુમોદના.
(૩) નિષેધ કરવા છતાં પણ તે પાપથી અટકે નહિ અને તેની પાપકમાઈનો પોતે ઉપભોગ પણ કરે નહિ, છતાં જેમ ચોરોના ટોળામાં રહેલો શાહુકાર પણ ચોર ગણાય છે, તેમ પાપ કરનારાની સાથે વસતો હોવાથી પણ તે પાપમાં સાથ આપનારો ગણાય, તે સંવાસ અનુમોદના જાણવી.