SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ ‘વંદિત્તુ સૂત્ર' મોક્ષના ઉદ્દેશથી, જિનાજ્ઞાનુસાર, યથાશકય જયણાપૂર્વક શુભ પ્રવૃત્તિ કરનાર સાધકનું મન તો છએ કાયના જીવોની ૨ક્ષા ક૨વાનું હોય છે. છએ જીવનિકાયની રક્ષા સંયમજીવન વિના શકય નથી, અને સંયમજીવનનું સામર્થ્ય વીતરાગની ભક્તિ વિના પ્રાપ્ત થતું નથી. આથી જ વૈરાગ્યાદિ શુભભાવોની વૃદ્ધિ માટે સાધક પોતાની ભૂમિકા અનુસાર દેવભક્તિ, ગુરુભક્તિ અને સાધર્મિકભક્તિ આદિનાં કાર્યો કરે છે. આ કાર્યો કરતાં પોતાના પરિણામની વૃદ્ધિ અર્થે તે જે કાંઈ કરે છે, તેમાં જયણાનો ભાવ એટલે કે જીવને બચાવવાનો પરિણામ જાગૃત હોય છે, સતત તે માટે પ્રયત્ન પણ હોય છે. આવી પ્રવૃત્તિથી લેશ પણ અશુભ કર્મબન્ધ થતો નથી અને બંધાય તો માત્ર પુણ્યકર્મ જ બંધાય છે. ૪૫ આ વાત પણ ખાસ ખ્યાલમાં રાખવી કે સંસારી કે સંયમી કોઈપણ જીવ જ્યાં સુધી શરીર સાથે સંકળાયેલો છે, અને કાયાદિ યોગનો વ્યાપાર જ્યાં સુધી ચાલુ છે, ત્યાં સુધી પ્રવૃત્તિ દ્વારા હિંસા તો થવાની જ છે. માટે તે૨મા ગુણસ્થાનક સુધી આ હિંસા તો ચાલુ રહેવાની છે. યોગનિરોધ કરી સાધક જ્યારે ચૌદમા ગુણસ્થાનકે આવે છે, ત્યારે કાયાદિનો વ્યાપાર સર્વથા બંધ થવાના કારણે જ તે સર્વથા હિંસાથી બચી શકે છે. આ સિવાય જીવ ક્યારેય હિંસાથી બચી શકતો નથી, પોતાનાં કાયાદિી વાયુકાયાદિ જીવોની વિરાધના તો સતત ચાલુ જ રહે છે. આથી જ ઉપરછલ્લી હિંસાની વાતો સાંભળી, હિંસાથી ગભરાઈને કોઈપણ સાધકે કયારેય પોતાની ભૂમિકા અનુસાર આત્મોન્નતિમાં ઉપકારક જિનપૂજાદિ શુભ અનુષ્ઠાનો છોડી દેવાની જરૂ૨ નથી; પરંતુ હિંસા અને અહિંસાના પરમાર્થને જાણવાની ખાસ જરૂર છે, કેમ કે દેખીતી અહિંસા કયારેક હિંસાની પરંપરા સર્જે છે, તો કયારેક દેખીતી હિંસા જ અહિંસાની પરંપરાને સર્જી શકે છે. જેમ કે શ્રાવકજીવન ઉચિત જિનપૂજા, અને શ્રમણજીવન ઉચિત નવકલ્પી વિહાર દેખીતી · રીતે પાણી, અગ્નિ, વનસ્પતિ વગેરે જીવોની હિંસારૂપ છે; છતાં આ અનુષ્ઠાનો રાગાદિ ભાવોનો ત્યાગ કરાવી સાધકને છેક મોક્ષ સુધી પહોંચાડી શકે છે. માટે ઉપરછલ્લી હિંસાને જોઈ આવી શુભ પ્રવૃત્તિ કયારેય મૂકી દેવી જોઈએ નહિ. વ્યવહારમાં પણ આવું જોવા મળે છે કે છરી ફેરવવાનું કાર્ય ડોક્ટ૨ અને ડાકુ બન્ને કરે છે; છતાં એકને દયાળુ કહેવાય છે અને એકને હિંસક કહેવાય છે; કેમ કે ડોક્ટરનો ભાવ દર્દીને બચાવવાનો છે, તેના દુ:ખને દૂર કરવાનો છે; જ્યારે ડાકુનો ભાવ સામી વ્યક્તિને પરેશાન કરવાનો છે. બચાવવાના ભાવથી છરી ફેરવતાં કયારેક દર્દી મરી જાય તો પણ ડોક્ટ૨ને કોઈ મારનાર કહેતું નથી, તેને
SR No.005838
Book TitleSutra Samvedana Part 04
Original Sutra AuthorN/A
AuthorPrashamitashreeji
PublisherSanmarg Prakashan
Publication Year2006
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy