SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્રસંવેદના-૪ થાય; માટે શ્રાવકની આ પ્રવૃત્તિને સાવઘ આરંભ કહેવાતો નથી, પરંતુ નિરવઘ આરંભ કહેવાય છે. આવી નિરવઘ પ્રવૃત્તિનું પ્રતિક્રમણ ન હોય, તેથી આ ગાથામાં તે કરવામાં આવ્યું નથી, પરંતુ દોષયુક્ત સાવઘ પ્રવૃત્તિનું જ અહીં પ્રતિક્રમણ કરવામાં આવ્યું છે; કેમ કે આવી સાવદ્ય આરંભની પ્રવૃત્તિઓથી જ વિશેષ કર્મબન્ધ થાય છે, નિરવઘ આરંભથી ક્યારેય પાપકર્મનો બંધ થતો નથી. ୪୪ જિજ્ઞાસા : હિંસા આદિ જેમાં થતાં હોય તેવી કોઈ પણ આરંભયુક્ત પ્રવૃત્તિ શું કર્મબન્ધ ન કરાવે ? તૃપ્તિ : ના, જૈન શાસનમાં એવો એકાંત નથી કે હિંસાથી કર્મબન્ધ થાય જ. કેટલીક હિંસાથી તીવ્ર કર્મનો બન્ધ થાય છે, તો કેટલીક હિંસા કર્તવ્ય પણ બને છે. હિંસાના પ્રકારો : આ વાત સમજવા માટે સૌ પ્રથમ જૈન શાસ્ત્રોમાં કેટલા પ્રકારની હિંસા બતાવી છે તે સમજવું પડે, અને પછી જ કઈ પ્રવૃત્તિ કરાય અને કઈ પ્રવૃત્તિ ન કરાય તેનો નિર્ણય લેવો જોઈએ. જૈન શાસ્ત્રોમાં હિંસાના ત્રણ પ્રકાર જણાવ્યા છે - ૧. સ્વરૂપ હિંસા, ૨. હેતુ હિંસા, ૩. અનુબન્ધ હિંસા. આ ત્રણે પ્રકારની હિંસાના સ્વરૂપને સમજાવતાં ૫. પૂ. મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી મ.સાહેબે દોઢસો ગાથાના સ્તવનમાં જણાવ્યું છે કે, હિંસાહેતુ અયતના ભાવે, જીવવધે તે સ્વરૂપ; આણાભંગ મિથ્યામતિ ભાવે, તે અનુબંધ વિરૂપ. ૪-૧૯ ૧. સ્વરૂપ હિંસા : ‘જીવ વધે તે સ્વરૂપ’ જે પ્રવૃત્તિમાં ઉપરછલ્લી નજરે જીવોના પ્રાણનાશરૂપ હિંસા દેખાતી હોય, પરંતુ તેમાં જીવોની હિંસા કરવાનો ભાવ ન હોય, બલ્કે જીવોને બચાવવાનો પરિણામ જ્વલંત હોય, પ્રવૃત્તિનું લક્ષ્ય માત્ર આત્મકલ્યાણ કે મોક્ષ મેળવવાનું હોય, તેવી શુભ ભાવની વૃદ્ધિ માટે ભગવાનની આજ્ઞા મુજબ થતી પ્રવૃત્તિમાં ન છૂટકે જે હિંસા થઈ જાય તે હિંસાને ‘સ્વરૂપ હિંસા’ કહેવાય છે. આવી હિંસા માત્ર સ્વરૂપથી હિંસા જેવી છે પણ વાસ્તવમાં હિંસા નથી.
SR No.005838
Book TitleSutra Samvedana Part 04
Original Sutra AuthorN/A
AuthorPrashamitashreeji
PublisherSanmarg Prakashan
Publication Year2006
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy