________________
સૂત્રસંવેદના-૪
થાય; માટે શ્રાવકની આ પ્રવૃત્તિને સાવઘ આરંભ કહેવાતો નથી, પરંતુ નિરવઘ આરંભ કહેવાય છે. આવી નિરવઘ પ્રવૃત્તિનું પ્રતિક્રમણ ન હોય, તેથી આ ગાથામાં તે કરવામાં આવ્યું નથી, પરંતુ દોષયુક્ત સાવઘ પ્રવૃત્તિનું જ અહીં પ્રતિક્રમણ કરવામાં આવ્યું છે; કેમ કે આવી સાવદ્ય આરંભની પ્રવૃત્તિઓથી જ વિશેષ કર્મબન્ધ થાય છે, નિરવઘ આરંભથી ક્યારેય પાપકર્મનો બંધ થતો નથી.
୪୪
જિજ્ઞાસા : હિંસા આદિ જેમાં થતાં હોય તેવી કોઈ પણ આરંભયુક્ત પ્રવૃત્તિ શું કર્મબન્ધ ન કરાવે ?
તૃપ્તિ : ના, જૈન શાસનમાં એવો એકાંત નથી કે હિંસાથી કર્મબન્ધ થાય જ. કેટલીક હિંસાથી તીવ્ર કર્મનો બન્ધ થાય છે, તો કેટલીક હિંસા કર્તવ્ય પણ બને છે.
હિંસાના પ્રકારો :
આ વાત સમજવા માટે સૌ પ્રથમ જૈન શાસ્ત્રોમાં કેટલા પ્રકારની હિંસા બતાવી છે તે સમજવું પડે, અને પછી જ કઈ પ્રવૃત્તિ કરાય અને કઈ પ્રવૃત્તિ ન કરાય તેનો નિર્ણય લેવો જોઈએ. જૈન શાસ્ત્રોમાં હિંસાના ત્રણ પ્રકાર જણાવ્યા છે -
૧. સ્વરૂપ હિંસા,
૨. હેતુ હિંસા, ૩. અનુબન્ધ હિંસા.
આ ત્રણે પ્રકારની હિંસાના સ્વરૂપને સમજાવતાં ૫. પૂ. મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી મ.સાહેબે દોઢસો ગાથાના સ્તવનમાં જણાવ્યું છે કે,
હિંસાહેતુ અયતના ભાવે, જીવવધે તે સ્વરૂપ;
આણાભંગ મિથ્યામતિ ભાવે, તે અનુબંધ વિરૂપ. ૪-૧૯
૧. સ્વરૂપ હિંસા :
‘જીવ વધે તે સ્વરૂપ’
જે પ્રવૃત્તિમાં ઉપરછલ્લી નજરે જીવોના પ્રાણનાશરૂપ હિંસા દેખાતી હોય, પરંતુ તેમાં જીવોની હિંસા કરવાનો ભાવ ન હોય, બલ્કે જીવોને બચાવવાનો પરિણામ જ્વલંત હોય, પ્રવૃત્તિનું લક્ષ્ય માત્ર આત્મકલ્યાણ કે મોક્ષ મેળવવાનું હોય, તેવી શુભ ભાવની વૃદ્ધિ માટે ભગવાનની આજ્ઞા મુજબ થતી પ્રવૃત્તિમાં ન છૂટકે જે હિંસા થઈ જાય તે હિંસાને ‘સ્વરૂપ હિંસા’ કહેવાય છે. આવી હિંસા માત્ર સ્વરૂપથી હિંસા જેવી છે પણ વાસ્તવમાં હિંસા નથી.