________________
‘વંદિત્તુ સૂત્ર’
કરવી તે, અને ‘આરંભ’ એટલે જેમાં જીવોની હિંસાદિ થાય છે તેવી પ્રવૃત્તિ. આ ત્રણેમાં ‘આરંભ’ મુખ્ય હોવાથી માત્ર તેનો ઉલ્લેખ કર્યો છે, પરંતુ તેના ગ્રહણ દ્વારા તેની સાથે સંકળાયેલા ‘સંરંભ’ અને ‘સમારંભ’ને પણ ગ્રહણ કરી લેવાના છે.
૪૩
આ આરંભ બે પ્રકારનો છે : (૧) સાવઘ અને (૨) નિરવદ્ય
‘અવઘ’ એટલે પાપ અને પાપ સહિત તે સાવદ્ય. તેથી સાવઘ આરંભ એટલે પાપયુક્ત આરંભ. જેનાથી આત્માનું અહિત થાય, રાગાદિભાવોની વૃદ્ધિ થાય, કુસંસ્કારો દઢ થાય, તેવા આરંભને સાવધ આરંભ કહેવાય છે. સંસારમાં આવી સાવઘ પ્રવૃત્તિઓ ઘણા પ્રકારની છે. જેમ કે, ધનાર્જન માટે મિલો, ફેક્ટરીઓ વગેરે ચલાવવી, હિંસક વાહનો વાપરવાં, ઈન્દ્રિયોનાં પોષણ માટે નાટક, સિનેમા જોવાં, સૂરીલાં સંગીત સાંભળવાં, જીભની લાલસાને પોષવા ભાતભાતનાં પક્વાન્ન બનાવવાં, હરવું, ફરવું, નાચવું, કૂદવું વગેરે અનેક પ્રકારની હિંસક પ્રવૃત્તિઓ નિઃશૂકપણે અર્થાત્ પાપના ભય વિના કે સંકોચ વગર કરવી, તે સર્વે બહુવિધ સાવધ આરંભ છે.
નિરવઘ આરંભ તેને કહેવાય, જેમાં બાહ્યથી-દ્રવ્યથી હિંસાદિ હોય તો પણ તેમાં હિંસા કરવાનો ભાવ ન હોય. જે પ્રવૃત્તિ દ્વારા મોક્ષ સુધી પહોંચવાની ભાવના હોય, જેના દ્વારા આત્મામાંથી રાગાદિ દોષોને ટાળી આત્માને વૈરાગ્યાદિ ગુણાભિમુખ કરી છેક વીતરાગભાવ સુધી પહોંચવાની ભાવના હોય, અનાદિ કુસંસ્કારોને ખતમ કરી આત્માને સંસ્કારિત કરવાની ભાવના હોય, તે પ્રવૃત્તિ કદાચ હિંસામય હોય તો પણ નિરવઘ કહેવાય છે. આવા ભાવપૂર્વકની પરમાત્માની ભક્તિ, ગુણસંપન્ન સાધર્મિકોનું વાત્સલ્ય, તીર્થયાત્રા, જિનમંદિરનું નિર્માણ, પૌષધશાળાનું નિર્માણ, કારણિક અનુકંપા વગેરે સર્વ કાર્ય દ્રવ્યથી હિંસામય હોવા છતાં નિરવદ્ય આરંભ કહેવાય. છે; કેમ કે આ કાર્યો કરતાં જયણાનો પરિણામ જ્વલંત હોય છે, પળે પળે જિનાજ્ઞાનું સ્મરણ હોય છે અને અનિવાર્યપણે કરવી પડતી હિંસાને છોડીને તેમાં એક પણ જીવની અધિક હિંસા ન થઈ જાય તેની પૂરી કાળજી લેવાય છે.
પોતાની ભૂમિકા પ્રમાણે શાસ્ત્રસાપેક્ષપણે થતી જિનપૂજા વગેરે શુભભાવની વૃદ્ધિનું કારણ હોવાથી જ શ્રાવક આવી પ્રવૃત્તિ કરે છે. આ ક્રિયા દ્વારા પણ શ્રાવકમાં એવું સત્ત્વ ખીલે છે કે જેથી સર્વ હિંસાથી રહિત સર્વવિરતિની પ્રાપ્તિ શીઘ્ર
2. વવિદે નો અર્થ ટીકામાં અનેક પ્રકારે - નિ:શૂકપણે કર્યો છે.