________________
વંદિત સૂત્ર'
અવતરણિકા:
- સર્વ વ્રતના સામાન્ય અતિચારની નિંદા કરીને હવે આ દોષોની ઉત્પત્તિનું જે મૂળ કારણ છે, તેનું પ્રતિક્રમણ કરતાં જણાવે છે –
दुविहे परिग्गहम्मी, सावज्जे बहुविहे अ आरंभे । વેરાવો સાવરો, પશ્ચિમે સિગ્રં સર્વ રૂ I
અન્વયસહિત સંસ્કૃત છાયા :
द्विविधे परिग्रहे च सावध बहुविधे आरम्भे । करणे कारणे च दैवसिकं सर्वम् प्रतिक्रामामि ।।३।।
શબ્દાર્થ :
બે પ્રકારના પરિગ્રહ વિષે અને પાપયુક્ત ઘણા પ્રકારના આરંભ વિષે, કરવામાં, કરાવવામાં અને ‘ગ' શબ્દથી અનુમોદનાના વિષયમાં દિવસ દરમ્યાન લાગેલા સર્વ અતિચારોનું હું પ્રતિક્રમણ કરું છું. વિશેષાર્થ : " ,
વિશે પરિણમી - બે પ્રકારના પરિગ્રહના વિષયમાં. મમત્વથી કે મૂચ્છથી કોઈ પણ વસ્તુ ગ્રહણ કરવી કે તેનો સંગ્રહ કરવો તેને પરિગ્રહ કહેવાય છે. આ પરિગ્રહ બે પ્રકારનો છેઃ (૧) બાહ્ય પરિગ્રહ અને (૨) અભ્યતર પરિગ્રહ. : - તેમાં બાહ્ય રીતે જેનો સંગ્રહ થઈ શકે તેવી ધન, ધાન્ય ક્ષેત્ર, વાસ્તુ, ચાંદી",
સોનું, કાંસું વગેરે અન્ય ધાતુઓ, અને તેના ઉપલક્ષણથી ઘરનું રાચ-રચીલું | (ઘરવખરી), દ્વિપદ અને ચતુષ્પદ એમ નવ પ્રકારની બાહ્ય વસ્તુઓને ગ્રહણ
કરવી કે તેનો સંગ્રહ કરવો તે બાહ્ય પરિગ્રહ છે, જ્યારે નજરે જોઈ ન શકાય તેવા મિથ્યાત્વ આદિ અંતરંગ ભાવો તે અત્યંતર પરિગ્રહ છે. તેના ચૌદ પ્રકારો છે : (૧) મિથ્યાત્વ, (૨) ક્રોધ, (૩) માન, (૪) માયા, (૫) લોભ એ ચાર કષાય; (ક) પુરુષવેદ (૭) સ્ત્રીવેદ, અને (૮) નપુસંકવેદ એમ ત્રણ વેદ; અને (૯) હાસ્ય, (૧૦) રતિ, (૧૧) અરતિ, (૧૨) ભય, (૧૩) શોક, (૧૪) જુગુપ્સા એ છ સહિત