SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્રસંવેદના-૪ ઉપેક્ષા કરી, જે વિશ્વાસથી મને ગુરુભગવંતે અરિહંતાદિની સાક્ષીએ વ્રતો આપ્યાં હતાં તે વિશ્વાસનો પણ મેં ઘાત કર્યો. તેમની શિખામણની મેં ઉપેક્ષા કરી, માનસિક નિર્બળતાને કારણે નિમિત્તોનો ભોગ બની મેં આ અમૂલ્ય રત્નો ગુમાવી દીધાં. હવે મારું શું થશે? હું ક્યાં જઈશ ?” આવી અનેક વિચારણાઓથી પોતાની જાત ઉપર ધિક્કાર થાય, તિરસ્કારનો પરિણામ પ્રગટ થાય, પુનઃ દોષનું સેવન કરવાની ઈચ્છા માત્ર નષ્ટ થઈ જાય, નબળા સંસ્કારો નિર્મુળ થઈ જાય; એ રીતે આત્મસાક્ષીએ પાપનો તિરસ્કાર કરવો તે નિંદા છે. ગહ : આત્મસાક્ષીએ કરેલી નિંદાનું ફળ ગર્તા છે. પોતાનાથી થઈ ગયેલા કે કરેલા પાપોની નિંદા કરવાથી તે પાપ પ્રત્યે જુગુપ્સા પેદા થાય છે. તેનાથી ઉગરવાનો માર્ગ મેળવવાનું મન થાય છે. પરિણામે પાપની શુદ્ધિ અર્થે સદ્ગુરુની શોધ શરૂ થાય છે. આમ આત્મસાક્ષીએ કરેલી નિંદા સાધકને ગુરુભગવંત સુધી પહોંચાડે છે. સદ્ગુરુ ભગવંત મળ્યા પછી વિષય, કષાય કે પ્રમાદને આધીન બની સ્વીકારેલાં વ્રતોમાં જે જે દોષો સેવાયા હોય, તેનું ગુરુભગવંત પાસે વિનમ્રભાવે, પશ્ચાત્તાપપૂર્ણ હૃદયે, માન, માયા આદિ ભાવોને બાજુ પર મૂકીને નિવેદન કરવું તે ગહ છે. ગઈ કરતો સાધક ગુરુભગવંતને કહે, “ભગવંત! મેં આપના વચનની ઉપેક્ષા કરી છે. નબળાં નિમિત્તોથી બચવા માટે જરૂરી સત્ત્વ અને પરાક્રમ ફોરવવાના બદલે તે નિમિત્તોનો ભોગ બની, મેં સ્વીકારેલાં વ્રતોને દૂષિત કર્યા છે. હું સમજું છું મેં આ ખોટું કર્યું છે. ભગવંત! કરેલા આ અકાર્ય સંબંધી આપ મને જે પણ યોગ્ય લાગે તે પ્રાયશ્ચિત્ત આપો. આપ મને આત્મશુદ્ધિનો માર્ગ બતાવો, જેથી એ માર્ગે ચાલી પુનઃ હું મારી જાતને પવિત્ર કરું અને વ્રતના ભાવમાં પાછો આવું !” જિજ્ઞાસા આત્મસાક્ષીએ નિંદા અને ગુરુ સાક્ષીએ ગહ કરવાથી શું ફાયદો ? તૃપ્તિ આત્મસાક્ષીએ નિંદા કરવાથી પાપના સંસ્કારો નબળા પડે છે, પાપ પ્રત્યે તિરસ્કારભાવ પ્રગટે છે, અને તેના કારણે પાપશુદ્ધિની તીવ્ર ભાવના જાગૃત થાય છે. પાપશુદ્ધિની ભાવનામાંથી ગુરુ પાસે જઈ માર્ગદર્શન મેળવવાનું મન થાય છે. ગુરુ પાસે જઈ પોતાના પાપની નિંદા કરવાથી જેમને પોતાના આધ્યાત્મિક જીવનની જવાબદારી સોંપી છે, એવા ગુરુ ભગવંતને પોતાના દોષોનો ખ્યાલ આવે છે, અને તેમની પાસેથી પુનઃ પાપ ન લેવાય તે માટે માર્ગદર્શન મળે છે. થયેલા
SR No.005838
Book TitleSutra Samvedana Part 04
Original Sutra AuthorN/A
AuthorPrashamitashreeji
PublisherSanmarg Prakashan
Publication Year2006
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy