________________
વંદિત સૂત્ર'
જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્ય એ આત્માના ગુણો છે. તેને પ્રગટ કરનારા જ્ઞાનાચાર આદિ આચારો છે. તેનું વર્ણન નાણમિ સૂત્રમાં કરેલ છે. તે પંચાચારનું પાલન ન કરવું કે વિપરીત પાલન કરવું, તે જ પંચાચાર વિષયક અતિચાર છે. તેથી જ્ઞાનાચારના ૮, દર્શનાચારના ૮, ચારિત્રાચારના ૮, તપાચારના ૧૨ અને વીર્યાચારના ૩ એમ કુલ પંચાચારના ૩૯ અતિચારો છે. બાર વ્રત વિષયક ૮૫ અતિચાર અને પંચાચાર વિષયક આ ૩૯ અતિચારો મળી કુલ ૧૨૪ અતિચારોનું પ્રતિક્રમણ કરવાનું છે.
વ્રતવિષયક સર્વે અતિચારો સૂત્રમાં આગળ વિગતવાર જણાવ્યા છે, પરંતુ પંચાચાર વિષયક અતિચારોનું આ સૂત્રમાં વર્ણન નથી, છતાં આ ગાથામાં કરેલા સામાન્ય નિર્દેશથી તેનું પણ પ્રતિક્રમણ કરવાનું છે.
સ્કૂલ દૃષ્ટિથી જોતાં આ ૧૨૪ અતિચારો છે, પરંતુ સૂક્ષ્મ દૃષ્ટિથી વિચારતાં વ્રત કે આચાર વિષયક નાના મોટા અનેક અતિચારો છે. આ વ્રતાદિના વિષયમાં અતિચારો બે પ્રકારના હોય છે, સૂક્ષ્મ અને બાદર. તેમાં સૂક્ષ્મ અતિચાર તેને કહેવાય કે જેને સામાન્ય લોક અતિચાર તરીકે જાણી ન શકે. જેમ કે વ્રત સ્વીકાર્યા પછી તેને યાદ ન કરવું, વ્રત શા માટે લીધું છે, તેનું ફળ મારે શું મેળવવાનું છે તે વિચારવું નહિ, વ્રતમાં વિઘ્ન કરનારા દોષો તરફ ધૃણા કે તિરસ્કારનો ભાવ ન હોવો - આ બધા વ્રત સંબંધી સૂક્ષ્મ અતિચારો છે. સામાન્યથી જોતાં આ દોષો દોષરૂપ લાગતા નથી, તોપણ તે વ્રતમાલિન્ય પેદા કરી પરંપરાએ વ્રતનાશનું કારણ બની શકે. જે દોષોને સામાન્ય જન સમજી શકે છે તે બાદર અતિચારો કહેવાય છે. આવા મોટા અતિચારોની ઘણી વાતો ગ્રંથકાર સ્વયં આગળ કરવાના છે. તેના ઉપરથી બીજા પણ નાના-મોટા દોષો સ્વયં વિચારવાના છે.
તનિકે નં ર પરિહામ - તેની = તે સર્વ અતિચારોની, હું નિંદા કરું છું અને ગહ કરું છું. નિંદાઃ
- નિંદા કરું છું એટલે હું મારી જાતને જ ઠપકો આપું છું, કે “અહો ! મહાપુણ્યના ઉદયથી માનવનો ભવ મળ્યો છે, તેમાંય રત્નચિંતામણિ જેવાં આ વ્રતો મળ્યાં, આ રત્નોનું જતન કર્યું હોત તો હું ધન્ય બની જાત ! પરંતુ દરિદ્રશિરોમણિ એવા મેં આવી પ્રવૃત્તિ દ્વારા વ્રતરૂપી રત્નોને ઝાંખપ લગાડી ! તેના જતનના બદલે તેની 2. સુકુનો વા અનુપરહ્ય:, વાયરો વા ચ: I
- वन्दारुवृत्ति