SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ ‘વંદિત્તુ સૂત્ર’ વ્રતનો આ પરિણામ આત્માને વર્તમાનમાં પણ ઉપશમનું સુખ આપે છે, અને ભવિષ્યમાં સંગતિની પરંપરા દ્વારા મોક્ષના મહાસુખને પ્રાપ્ત કરાવી શકે છે; જ્યારે વ્રતનો સ્વીકાર ન કરવો, વ્રત સ્વીકાર્યા બાદ તેનું પાલન ન કરવું કે અયોગ્ય પાલન કરવું, અથવા વ્રતનો ભંગ થાય તેવા દોષોનું સેવન ક૨વું, આ સર્વે દુ:ખ અને દુર્ગતિની પરંપરાનું સર્જન કરે છે. ૩૫ વ્રત તથા વ્રતના અતિચારવિષયક આવા જ્ઞાનવાળો આત્મા, નાનામાં નાના વ્રતનો સ્વીકાર કર્યા પછી પ્રાણના ભોગે પણ તેનું પાલન કરે છે. જેમ વીરા સાળવીએ વ્રતનું મહત્ત્વ સમજીને વિશેષ શક્તિ ન હોવાથી એક સામાન્ય નિયમ કર્યો કે “ખેસની ગાંઠ છોડ્યા પછી જ મારે શરાબની પ્યાલી પીવી.” એકદા રેશમી ખેસને વાળેલી ગાંઠ ઘણાં પ્રયત્ન છતાં પણ ન છૂટી, ત્યારે શરાબ પીવામાં વિલંબ થતાં તેની નસો તૂટવા લાગી પણ તેણે નિયમ ન તોડ્યો. અંતે તેના પ્રાણ નીકળી ગયા. આ રીતે પ્રાણના ભોગે પણ વ્રતનું પાલન કરવા દ્વારા તે સદ્ગતિમાં ગયો, પરંપરાએ તે શિવગતિ પણ પ્રાપ્ત કરશે. અતિચારનું સ્વરૂપ : વ્રતના મહત્ત્વને નહિ સમજતો શ્રાવક પ્રસંગ પામીને વ્રતનો સ્વીકાર કરે છે, પરંતુ અનાદિના કુસંસ્કારોના કારણે જે પ્રકારે વ્રતનું પાલન ક૨વું જોઈએ તે પ્રકારે તેનું પાલન નથી કરી શકતો.‘નબળાં નિમિત્તો મળતાં જ પોતાની શક્તિ, સમજ અને પરાક્રમને બાજુ ઉપર મૂકી, વિષયોને આધીન બની, કષાયો અને કુસંસ્કારોને વશ પડી, શાસ્ત્રકારોએ બાંધેલી વ્રતની મર્યાદાનો ભંગ કરે છે. વ્રતની મર્યાદાનો આ ભંગ તે જ વ્રતવિષયક અતિચાર કે દોષ કહેવાય છે. ૧ ૩ ૪ અનેક પ્રકારે સેવાતા આ દોષોના શાસ્ત્રકારે ચાર વિભાગ પાડ્યા છે ઃ અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર અને અનાચાર. દા.ત. ‘મારે બટાકા ખાવા નહિ.' આવા વ્રતનો સ્વીકાર કર્યા પછી બટાકાની બનેલી વાનગી સંબંધી કોઈ પ્રેરણા કરે, કે “ભાઈ ! આ વસ્તુ ખાવા જેવી છે.” આ સાંભળી વ્રતધારી શ્રાવકે ચૂપ ન રહેવું જોઈએ, પરંતુ ‘આ પાપની મારે પ્રતિજ્ઞા છે', તેમ જણાવવું જોઈએ; જેથી પોતાને વ્રતમાં દઢતા આવે અને અન્યને પણ પ્રેરણા મળે, પણ મનની ઢીલાશને કારણે શ્રાવક તેનો નિષેધ ન કરે અને સાંભળી લે, તો તે અતિક્રમરૂપ' અતિચાર છે. 1. आहाकम्मामंतण पडिसुणमाणे अइक्कमो होइ । पयभेयाइ वइक्कम, गाहिए तइ इयरो गलिए ।। - શ્રાદ્ધ પ્રતિક્રમણ સૂત્ર (અર્થદીપિકા) આધાકર્મી આહાર માટેના આમંત્રણને સ્વીકાર તરીકે સાંભળી લેવામાં ‘અતિમ’ દોષ લાગે
SR No.005838
Book TitleSutra Samvedana Part 04
Original Sutra AuthorN/A
AuthorPrashamitashreeji
PublisherSanmarg Prakashan
Publication Year2006
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy