________________
૩૪
અવતરણિકા :
પ્રથમ ગાથામાં મંગલાચરણ વગેરેનો નિર્દેશ કરીને હવે વ્રત આદિ વિષયક સર્વ અતિચારોનું પ્રતિક્રમણ કરવાની ઈચ્છાને વ્યક્ત કરતાં કહે છે -
ગાથા :
સૂત્રસંવેદના-૪
जो मे वयाइआरो नाणे तह दंसणे चरिते अ । सुमो अ बायरो वा तं निंदे तं च गरिहामि ॥ २ ॥ |
અન્વયસહિત સંસ્કૃત છાયા ઃ
व्रतातिचारः तथा ज्ञाने दर्शने चारित्रे च
T: મમ સૂક્ષ્મ વાપુર: વા (અતિવાર:) તે નિદ્ગામિ તં ચĚ ।। ગાથાર્થ :
વ્રતના વિષયમાં તથા જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્યાચારના વિષયમાં સૂક્ષ્મ કે બાદર જે કોઈ અતિચાર મને લાગ્યો હોય તેની હું નિંદા કરું છું અને ગોં કરું છું. (અહીં ‘તપ અને વીર્યાચાર' એવો અર્થ વૃત્તેિ પછીના TM શબ્દથી કર્યો છે)
વિશેષાર્થ :
નો મે વવાઞરો - વ્રત સંબંધી મને જે અતિચાર લાગ્યો હોય. વ્રતનું સ્વરૂપ :
ચારિત્રમોહનીયકર્મના ક્ષયોપશમથી આત્મામાં પ્રગટ થતો અહિંસાદિરૂપ શુભ ભાવ તે અંતરંગ વ્રત છે, અને આવા શુભ ભાવને પ્રગટાવવા ગુરુભગવંત પાસે ‘હિંસા ન કરવી’ તેવો નિયમ ગ્રહણ કરી, તેને અનુરૂપ જયણાપૂર્વક બાહ્ય જીવનવ્યવહાર કરવો તે બાહ્ય વ્રત છે.
અથવા - અહિંસા, ક્ષમા આદિ આત્માના ભાવો છે, અને તે જ આત્મા માટે સુખકારક છે. “આ ભાવોને પ્રાપ્ત કરવા માટે; તેમાં વિઘ્ન ઉત્પન્ન કરનાર હિંસા, જૂઠ કે ક્રોધાદિ કષાયો મારે ન કરવા, અને ક્ષમાદિ ધર્મોનું મારે આસેવન કરવું”આવો શુભ સંકલ્પ કરવો તે વ્રત છે.