SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ વંદિતુ સૂત્ર' ૩૩ પૂર્વે જણાવ્યું તેમ એ ધ્યાનમાં રાખવું કે ગ્રન્થકારે આ મંગલાચરણ, પ્રતિક્રમણ કરવા પૂર્વે પ્રતિક્રમણ કરનાર સાધકે કેવી રીતે મંગલાચરણ કરવું જોઈએ; તે જણાવવા કર્યું છે. તેના દ્વારા “વંદિતુ' સૂત્રનું મંગલાચરણ પણ ગૌણપણે આવી જ જાય છે, તે સમજી લેવું. સંબંધ અને પ્રયોજન સાક્ષાત્ શબ્દથી કહ્યાં નથી, તો પણ વાચ્ય-વાચક સંબંધ, તથા આ સૂત્રના માધ્યમે વ્રતના દૂષણોનો બોધ મેળવી નિર્વિને પ્રતિક્રમણ કરી વ્રતોની શુદ્ધિ કરવારૂપ અનંતર પ્રયોજન, અને ક્રમે કરી સંપૂર્ણ શુદ્ધ આત્મસ્વરૂપની પ્રાપ્તિ કરવારૂપ પરંપર પ્રયોજન, સામર્થ્યથી જાણી શકાય તેમ છે. આ ગાથા બોલતાં શ્રાવક વિચારે કે, “વિષય-કષાયને આધીન બનીને મહામૂલ્યવાન એવાં વ્રતોને મેં દૂષિત કર્યા છે, તેના પાલનમાં અનેક સ્કૂલનાઓ થઈ છે, સ્વીકારેલ વ્રતોમાં ઘણાં અતિચાર લાગ્યા છે તેનાથી મેં ઘણાં પાપ બાંધ્યાં છે. આ પાપથી પાછા ફરવાની મારી ઈચ્છા છે અને તે માટે જ હું પ્રતિક્રમણ કરવા ઈચ્છું છું પણ હું સમજું છું કે - પ્રતિક્રમણની આ ક્રિયા ઘણાં વિનોથી ભરેલી છે, માટે તેમાં કોઈ વિઘ્ન ન આવે અને નિવિંદનપણે પાપનું પ્રતિક્રમણ કરી હું શુદ્ધ બની શકું, તે માટે જ પંચપરમેષ્ઠીને સ્મૃતિમાં લાવી તેમને હું વંદન કરું છું. ભાવપૂર્વકની વંદના કરી પ્રાર્થના કરું છું કે હે પ્રભુ ! આ વ્રત પાલન જો કોઈ ફળ હોય તો મને પણ આપના જેવું અનંત આનંદમય – અનંત સુખમય શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત થાઓ !” છે. અને આચાર્યાદિને પ્રણામ કરતાં વિચારે કે “આપ જે રીતે શુદ્ધ સ્વરૂપને પામવા પ્રબળ પ્રયત્ન કરી રહ્યા છો, તેવો પ્રયત્ન કરવાનો ઉત્સાહ મારામાં પણ પ્રગટો.”
SR No.005838
Book TitleSutra Samvedana Part 04
Original Sutra AuthorN/A
AuthorPrashamitashreeji
PublisherSanmarg Prakashan
Publication Year2006
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy