________________
સૂત્રસંવેદના-૪
શ્રાવકના આ દેશવિરતિરૂપ ધર્મને શ્રાવકધર્મ કહેવાય છે. પાપથી થોડાક અંશે વિરામ પામવું તેને દેશવિરતિ કહેવાય છે. પાપો અસંખ્ય પ્રકારનાં હોઈ તેનાથી વિરામ પામવારૂપ વ્રત-નિયમોના પણ અસંખ્ય પ્રકારો છે. તે સર્વનો સંક્ષેપ કરીને મહાપુરુષોએ તેનો બાર વ્રતોમાં સમાવેશ કર્યો છે.
૩૨
શ્રાવકધર્મના અતિચારો ઃ
દેશવિરતિરૂપ શ્રાવકધર્મને મલિન કરે, તેની મર્યાદા ચુકાવે તેવી આચરણાને શ્રાવકધર્મના અતિચાર કહેવાય છે. બાર વ્રતને આશ્રયીને મુખ્યતયા એક સો ચોવીસ (૧૨૪) અતિચારો હોય છે. અહીં તે અતિચારોનું પ્રતિક્રમણ કરવાની ભાવના વ્યક્ત કરાઈ છે. વ્રતનો સ્વીકાર કરનાર શ્રાવક જો કે સાવધાન હોય.છે, સ્વીકારેલાં વ્રતોમાં એક પણ દોષ ન લાગે તે માટે પ્રયત્ન પણ કરે છે; તો પણ પ્રમાદ આદિ દોષોને કારણે કયાંક ચૂકી જાય છે, અને વ્રતને દૂષિત કરે તેવી આચરણા તેનાથી થઈ જાય છે. આવી આચરણાઓ જ વ્રતના અતિચારો કહેવાય છે. આ અતિચારોથી મલિન બનેલા વ્રતને શુદ્ધ ક૨વાની ક્રિયાસ્વરૂપ પ્રતિક્રમણ છે. આ રીતે રૂમિ ડિમિનું સાવાધમ્માઞરસ્સું પદ બોલવા દ્વારા શ્રાવક શ્રાવકધર્મના અતિચારોનું પ્રતિક્રમણ કરવાની પોતાની ભાવના ગુરુ સમક્ષ વ્યક્ત કરે છે.
12
અનુબંધ ચતુષ્ટય :13
કોઈપણ ગ્રન્થનો પ્રારંભ કરતાં ગ્રન્થકાર સૌ પ્રથમ મંગલાચરણ સાથે વિષય, અધિકારી, સંબંધ અને પ્રયોજન આ ચાર બાબતો જણાવે છે. આને અનુબંધ ચતુષ્ટય કહેવાય છે. આ સૂત્રના પ્રારંભમાં પણ, મંગલાચરણ અને વિષય સૂત્રકાર ભગવંતે પ્રથમ બે પદો દ્વારા સ્પષ્ટ જણાવ્યાં છે. પંચ પરમેષ્ઠીને નમસ્કાર કરીને મંગલાચરણ કરવામાં આવ્યું છે, ‘શ્રાવકધર્મના અતિચારોનું પ્રતિક્રમણ કરવા ઇચ્છું છું' એમ કહી સૂત્રનો વિષય જણાવ્યો છે, અને સાથે જ આ પદ દ્વારા જ પ્રતિક્રમણનો અધિકારી શ્રાવક છે, તે પણ સ્પષ્ટ કરી આપ્યું છે.
12. અતિચાર – ગતિ = ઓળંગીને, વ્રતની મર્યાદાને ઓળંગીને ચર =ચરવું, વર્તવું. વ્રતની મર્યાદાનું ઉલ્લંઘન કરીને જે વર્તન થાય તેને અતિચાર કહેવાય છે.
13. વિષયાધિòારી ૨ સંવઃ પ્રયોનનમ્ ।
વિના અનુવયં પ્રસ્થાનો મઙ્ગ ં નેવ ાસ્યતે ।। અનુબંધ ચતુષ્ટયમાં કેટલેક સ્થળે મંગલ, વિષય, સંબંધ અને પ્રયોજનનો સમાવેશ કરાય છે, તો ક્યારેક તેમાં વિષય, અધિકારી‚ સંબંધ અને પ્રયોજનનો સમાવેશ થાય છે.