________________
“વંદિતુ સૂત્ર
શ્રાવક શ્રાવક તેને કહેવાય જેને, શ્રા = જિનવચનમાં શ્રદ્ધા હોય, અથવા જિનવચનનું જે શ્રવણ કરતો હોય. a = શ્રદ્ધા અને શ્રવણના કારણે જેનામાં વિવેક પ્રગટ્યો હોય,
# = વિવેકને કારણે મોક્ષના ઉપાયરૂપ શુદ્ધ ક્રિયામાં સતત ઉદ્યમશીલ હોય. શ્રાવકનો ધર્મ :
શ્રાવકનો ધર્મ મુખ્યપણે સમ્યક્તવમૂળ બાર વ્રતોસ્વરૂપ દેશવિરતિધર્મ છે. શ્રાવક જ્ઞાન અને શ્રદ્ધાપૂર્વક મોક્ષમાર્ગને સાધનારી જે અલ્પ પણ ક્રિયા કરે છે તેનાથી તેને જે આત્મિક આનંદની અનુભૂતિ અને ચિત્તની સ્વસ્થતા પ્રાપ્ત થાય છે, તે આનંદ કે ચિત્તની સ્વસ્થતા તેને ભૌતિક સુખથી પ્રાપ્ત થતી નથી. ભૌતિક સુખમાં તેને શ્રમ, વિડંબણા અને માત્ર કાલ્પનિક સુખનાં દર્શન થાય છે. આ જ કારણે જ્યાં મોક્ષસાધક ક્રિયા સતત કરવા મળે છે તેવી સર્વવિરતિને તે હંમેશાં ઝંખે છે, અને તેની શીધ્ર પ્રાપ્તિ થાય તે માટે જ સમ્યક્ત મૂળ બાર વ્રત કે તેમાંથી કોઈ એકાદ વ્રતનો સ્વીકાર કરે છે, જેને દેશવિરતિધર્મ કહેવાય છે. પ.પૂ.આ.શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ આ જ વાતને પ્રગટ કરતાં લલિતવિસ્તરા ગ્રંથમાં જણાવ્યું છે કે - સર્વવિરતિની તીવ્ર લાલસાપૂર્વક જે આંશિક ત્યાગ તે જ દેશવિરતિનો" પરિણામ છે.
10. “કૃતિ તિ શ્રાવ8!"
संपन्नदसणाइ पइदियह जइजणा सुणेई य । सामायारिं परमं जो खलु तं सावगं बिंति ।।
- પંચાશક દર્શન, જ્ઞાન અને દેશવિરતિધર્મથી સંપન્ન એવો જે આત્મા, હંમેશાં ઉપયોગવાળો થઈને, દત્તચિત્ત બનીને, ગુરુવર્યોના શ્રીમુખથી સાધુ અને શ્રાવકની સામાચારીને સાંભળે,તેને શ્રી તીર્થકર પરમાત્મા નિચ્ચે શ્રાવક કહે છે. श्रद्धालुतां श्राति जिनेन्द्रशासने धनानि पात्रेषु वपन्त्यनारतम् । कृन्तत्यपुण्यानि सुसाधुसेवना - दतोऽपि तं श्रावकमाहुरुत्तमाः ।। શ્રી જિનેશ્વરભગવંતના પ્રવચનમાં શ્રદ્ધાળુપણું રાખે, સુપાત્રમાં નિરંતર ધનને વાવે અને સુવિદિત
મુનિરાજોની સેવાથી પાપકર્મોને કાપી નાંખે, તેથી પણ તેને ઉત્તમ પુરુષો શ્રાવક કહે છે. 11, સર્વવિટિટિસ ઉછરેશવિનિરિમ: -લલિતવિસ્તરા ઘમ્મા - પદ લલિતવિસ્તરામાં
પૂ. આ. શ્રી. હરિભદ્રસૂરિ મહારાજે જણાવ્યું છે કે અણુવ્રતાશુપાલતિમ ક્રિયાના: સાપુષિાપત્તિરાયણ: આત્મપરિપામ:' એ જ શ્રાવકધર્મ છે.