SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્રસંવેદના-૪ તે અંતરનો શુદ્ધ ભાવ સૂર્યના પ્રકાશ જેવો મહાન છે. તેથી જ શ્રાવક માત્ર પ્રતિક્રમણ કરવાની ઇચ્છા નથી ધરાવતો પણ ભાવપૂર્વક પ્રતિક્રમણ કરવાની ઇચ્છા પ્રગટ કરે છે. હવે શું કરવાની ઇચ્છા છે, તે જણાવે છેપરમ - (હું) પ્રતિક્રમણ કરવા માટે ઇચ્છું છું).. પ્રતિક્રમણ કરવું એટલે પાછા ફરવું. પ્રમાદના વશથી સ્વસ્થાનથી એટલે પોતાના જ્ઞાનાદિ ગુણોથી, પરસ્થાનમાં ગયેલા આત્માને પુનઃ સ્વસ્થાનમાં લાવવો, તે પ્રતિક્રમણ છે અથવા ક્ષાયોપથમિક ભાવથી ઔદાયિક ભાવને પામેલા આત્માને પુનઃ ક્ષાયોપથમિક ભાવમાં લાવવો તે પ્રતિક્રમણ છે. વિષય, કષાય અને પ્રમાદાદિ દોષોને કારણે જ્ઞાનાદિ ગુણોથી પર થયેલા આત્માને પુનઃ પોતાના મૂળ સ્વભાવમાં લાવવાનો યત્ન કરવો, તે પ્રતિક્રમણ છે. ટૂંકમાં અતિક્રમણનું પ્રતિક્રમણ કરવાનું છે. વ્રતની મર્યાદાને ચૂકી જઈ બહાર ગયેલા આત્માને પુનઃ વ્રતની મર્યાદામાં લાવવાનો યત્ન કરવો તે પ્રતિક્રમણ છે. હવે શેનું પ્રતિક્રમણ કરવાનું છે, તે જણાવે છેસાવ ઘમાસાર - શ્રાવકધર્મના અતિચારોનું, ‘સાવા થપ્પામરસ' શબ્દ શ્રાવક, ધર્મ અને અતિચાર એમ ત્રણ શબ્દનો બનેલો છે. તેમાં શ્રાવકનો ધર્મ એ શ્રાવકધર્મ અર્થાત્ સમ્યક્ત્વમૂલ બાર વ્રતો. આ ધર્મમાં લાગતા અતિચારો તે શ્રાવકધર્મના અતિચારો છે, જેનું પ્રતિક્રમણ કરવા સાધક ઇચ્છા ધરાવે છે. ૭. સાથોપશમ ભાવી - રોચિવશે ત. तत्रापि च स एवार्थः, प्रतिकूलगमात्स्मृतः ।।१२३० ।। - આવશ્યક નિર્યુક્તિ હારિભદ્રીય ટીકા ગાથા ૧૨૩૦/૩૧ पडिक्कमणं पडियरणा, पडिहरणा वारणा निअत्ती य । निंदा गरिहा सोही, पडिक्कमणं अट्ठहा होइ ।।१२३१।। - આવશ્યક નિર્યુક્તિ પ્રતિક્રમણ, પ્રતિચરણા, પ્રતિહરણા, વારણા, નિવૃત્તિ, નિન્દા, ગહ અને શુદ્ધિ : આમ પ્રતિક્રમણના ૮ પર્યાયવાચી શબ્દો છે, જેની વિશેષ સમજ માટે આવશ્યકનિયુક્તિ તથા પ્રતિક્રમણ હેતુગર્ભ સક્ઝાય જોવા ભલામણ. “પ્રતિક્રમણ એટલે શું?” તે આ પુસ્તકની ભૂમિકામાં સ્પષ્ટ કરેલ છે.
SR No.005838
Book TitleSutra Samvedana Part 04
Original Sutra AuthorN/A
AuthorPrashamitashreeji
PublisherSanmarg Prakashan
Publication Year2006
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy