________________
વંદિત સૂત્ર'
પ્રતિક્રમણ કરવાનો ભાવ પ્રગટે જ નહિ, પ્રતિક્રમણ કરવાની ભાવના હોવા છતાં “સંસારની સર્વ ક્રિયા કરતાં આ ક્રિયા મહાન છે', તેવો આદર પ્રગટે નહિ, ક્રિયા કરતાં જે વર્ષોલ્લાસ થવો જોઈએ તે ન થાય, મનને એકાગ્ર કરવાની મહેનત ચાલુ હોવા છતાં મન અન્યત્ર ભટક્યા કરે, પણ પ્રતિક્રમણની ક્રિયામાં સ્થિર ન થાય, બાહ્યથી ક્રિયા સુંદર હોવા છતાં તેના દ્વારા જે આંતરિક આનંદનો ઝરો ફૂટવો જોઈએ તે ફૂટે નહિ, અને પરિણામે ક્રિયાને જલદી-જલદી પતાવવાની ભાવના રહ્યા કરે : આ સર્વે અંતરંગ વિઘ્નો છે, જેને શાસ્ત્રકારો ઉત્કૃષ્ટ વિઘ્ન કહે છે.
સાધક આ સૂત્રના માધ્યમે પ્રતિક્રમણ તો કરે છે, પરંતુ વિદ્ગોના કારણે પ્રતિક્રમણ દ્વારા તેના ભાવોને સ્પર્શી પોતાની પરિણતિને પલટાવી શકતો નથી. આથી જ સૂત્રને પરિણામ પમાડવામાં પ્રતિબંધક બનતાં બાહ્ય અને અંતરંગ વિનોના નાશ માટે સૂત્રકારે સૂત્રના પ્રારંભમાં મંગલાચરણ કર્યું છે. આ મંગલાચરણથી પ્રગટેલો શુભ ભાવ આવાં સર્વ વિઘ્નોને દૂર કરી, સૂત્રના તે તે ભાવો સુધી સાધકને પહોંચાડી શકે છે અને તે દ્વારા આત્મિક શુદ્ધિ પણ કરાવે છે. પંચ પરમેષ્ઠીને વંદના:
વgિ - વંદન કરીને. વંદનનો અર્થ છે નમસ્કાર અથવા સમર્પણનો ભાવ અથવા મન-વચન અને કાયાની એક શુભ પ્રવૃત્તિ. અંરિહંતાદિ ગુણવાન આત્માઓને જોઈ તે મહાન છે અને હું હીન છું' આવો આદર અને બહુમાનનો ભાવ તે માનસિક વંદના છે. આ ભાવપૂર્વક “વંદામિ” કે “નમો’ વગેરે શબ્દો ઉચ્ચારવા વાચિક વંદન છે, અને બે હાથ જોડી માથું નમાવવું તે કાયિક વંદનની ક્રિયા છે.
આ વંદનની ક્રિયા ભૂમિકાભેદે અનેક પ્રકારની છે. તેમાં પરમાત્મા પ્રત્યેના અહોભાવને કારણે પોતાનાં મન, વચન અને કાયાની સર્વ પ્રવૃત્તિઓ પરમાત્માના વચન અનુસાર જ કરવી, તે શ્રેષ્ઠ વંદના છે. આવી શ્રેષ્ઠ વંદનાને જ લક્ષ્ય બનાવી સાધકે “વંદિતુ શબ્દો દ્વારા પોતાની શક્તિ અને ભૂમિકા અનુસાર વંદન કરે છે.
હવે કોને વંદન કરીને મંગલાચરણ કરાય છે, તે જણાવે છે“સિદ્ધ - અરિહંત તથા સિદ્ધ ભગવંતોને વંદન કરીને). ‘સર્વાસ' નો અર્થ છે સર્વ સિદ્ધ ભગવંતો એટલે તીર્થસિદ્ધ, અતીર્થસિદ્ધ વગેરે
૩. વંદનક્રિયાની વિશેષ સમજ માટે ‘સૂત્ર સંવેદના ભાગ-૨’ ‘અરિહંત ચેઈઆણં' સૂત્ર જોવું.
तत्र वन्दनम्-अभिवादनं प्रशस्त-कायवाङ्मनः-प्रवृत्तिरित्यर्थः, - ललितविस्तरा