________________
સૂત્રસંવેદના-૪
દ્વારા પ્રતિક્રમણનું મંગલાચરણ કરે છે અને સૂત્રકાર પણ આ પદોની રચના કરવા દ્વારા મંગલાચરણ કરવાપૂર્વક સૂત્રનો પ્રારંભ કરે છે.
પ્રતિક્રમણ કરવા ઉપરાંત સૂત્રની રચના કરવી, સૂત્રનું શુદ્ધ ઉચ્ચારણ કરવું, સૂત્રના પૂર્ણ તાત્પર્યને સમજવું કે સૂત્રોનુસાર જીવન જીવવું : આ સર્વે કાર્યો શ્રેયકારી છે. સર્વત્ર કહેવાય છે કે “શ્રેયાંતિ જહુવિજ્ઞાનિ' શ્રેયરૂપ કાર્યો ઘણાં વિક્નોથી ભરેલાં હોય છે; કેમ કે અનાદિકાળથી અશ્રેયકારી પાપની વૃત્તિ અને પ્રવૃત્તિ દ્વારા જીવે ઘણા પાપપૂંજો એકઠા કર્યા હોય છે. આ પાપો જ શ્રેયકારી કાર્યોમાં વિનો ઉત્પન્ન કરે છે. વિક્નોના પ્રકારો :
પાપપ્રકૃતિના ઉદયથી પ્રગટતાં વિનો બે પ્રકારનાં છે – બાહ્ય અને અંતરંગ. તેમાં પ્રતિક્રમણ માટે પ્રતિકૂળ એવા બાહ્ય સંયોગો તે બાહ્ય વિન છે, અને પ્રતિક્રમણને પ્રતિકૂળ એવા અંતરંગ ભાવો તે અંતરંગ વિઘ્ન છે.
"પ્રતિક્રમણ માટે બાહ્ય વિન બાહ્ય પ્રતિકૂળતારૂપ છે. જેમ કે પ્રતિક્રમણમાં ભાવ જળવાઈ રહે તેવું શાંત, સુયોગ્ય સ્થાન ન મળે, જરૂરી ઉપકરણો પ્રાપ્ત ન થાય, સમયની સાનુકૂળતા ન સાંપડે, સ્વયં પ્રતિક્રમણ કરતાં ન આવડે અને કરાવનાર મળે નહિ, વળી શરીરની જે અનુકૂળતા જોઈએ તે પ્રાપ્ત ન થાય : આ બધાં બાહ્ય વિઘ્નો છે. શાસ્ત્રમાં આવાં વિનોને જઘન્ય કે મધ્યમ વિપ્ન કહેવાય છે.
અંતરંગ વિનો આંતરિક પ્રતિકૂળ ભાવોસ્વરૂપ છે. જેમ કે, “આ પ્રતિક્રમણની ક્રિયા જ મારા સુખનું કારણ છે, તેવું લાગે નહિ. તેવું લાગે તો પણ અંતરમાં
1. શ્રેયાંસિ વિનિ, મનિ મહામપિ
अश्रेयसि प्रवृत्तानां, क्वापि यान्ति विनायकाः ।। મહાપુરુષોને પણ શ્રેયકારી કાર્યો ઘણા વિઘ્નોવાળાં હોય છે. અશ્રેય કાર્યમાં પ્રવૃત્તિ કરનારાના વિબ્દસમૂહો ક્યાંય ચાલ્યા જાય છે.
- યોગશતક ગાથા નં-૧ ની ટીકા 2. ધર્મ કરવામાં અંતરાય ઊભો કરે એવા માનસિક પરિણામને વિબ કહેવાય છે. શાસ્ત્રોમાં
આવાં વિઘ્નો જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ ત્રણ પ્રકારનાં બતાવ્યાં છે. તેમાં ઠંડી, ગરમી આદિ બાહ્ય પ્રતિકૂળતાને કારણે ધર્મમાં અટકાયત કરતો ભાવ તે જઘન્ય વિઘ્ન છે, શારીરિક રોગો કે પ્રતિકૂળતા તે મધ્યમ વિપ્ન છે અને આત્મિક ભાવોની પ્રતિકૂળતા એટલે કે મિથ્યાત્વમોહનીયકર્મથી ઉત્પન્ન થયેલો મનોવિભ્રમ એ ઉત્કૃષ્ટ વિલ્બ કહેવાય છે. આ વિષયની વિશેષ માહિતી યોગવાશિકા ગાળા નં. ૧ તથા ષોડશક ૩-૯માંથી મેળવી શકાય.