________________
વંદિતુ સૂત્ર'
અવતરણિકા
- “વંદિત્ત' સૂત્રના પ્રારંભમાં ગ્રંથકારશ્રી પ્રથમ ગાથા દ્વારા મંગલાચરણ કરે છે -
ગાથા :
वंदित्तु सव्वसिद्धे, धम्मायरिए अ सव्वसाहू अ ।
इच्छामि पडिक्कमिडं, सावग-धम्माइआरस्स ।।१।। અવયસહિત સંસ્કૃત છાયાઃ
सर्वसिद्धान् धर्माचार्यान् च सर्वसाधून च वन्दित्वा ।
श्रावकधर्मातिचारस्य(रात्) प्रतिक्रमितुम् इच्छामि ।।१।। ગાથાર્થ: *
અરિહંત ભગવંતોને, સિદ્ધ ભગવંતોને, ધર્માચાર્યોને, ઉપાધ્યાય ભગવંતોને તથા સર્વે સાધુ ભગવંતોને વંદન કરીને; શ્રાવકધર્મમાં લાગેલા અતિચારોનું હું પ્રતિક્રમણ કરવા ઈચ્છું છું. વિશેષાર્થ :
વંલિ સર્વાસિદ્ધ, મારિ સત્રસાદૂન - અરિહંતોને, સિદ્ધોને, ધર્માચાર્યોને, ઉપાધ્યાયોને તથા સર્વ સાધુઓને વંદન કરીને (અહીં ‘ઉપાધ્યાયોને એવો અર્થ થમ્પાયર અને સવ્વસાહૂ વચ્ચેના “' શબ્દથી કર્યો છે.) મંગલાચરણ શા માટે? :
આ સૂત્રની રચના પૂર્વાચાર્યોએ શ્રાવકને લક્ષ્યમાં રાખીને કરી છે. આ સૂત્રના સહારે શ્રાવકે પોતાનાં વ્રતોમાં થયેલા અતિચારોની આલોચના કરી શુદ્ધ થવાનું છે. આલોચના દ્વારા આત્મશુદ્ધિ કરવાનું કાર્ય એ એક શુભ અને દુષ્કર કાર્ય છે. તેથી તે નિર્વિબે પૂર્ણ થાય તે માટે શ્રાવકે આ ક્રિયાનો પ્રારંભ કરતાં પૂર્વે મંગલાચરણ કરવું જોઈએ. આ જ કારણથી શ્રાવક આ સૂત્રના પ્રારંભમાં જ પંચ પરમેષ્ઠીરૂપ ઈષ્ટ દેવ-ગુરુને નમસ્કાર કરવારૂપ મંગળ કરે છે, અને ત્યારબાદ હું શ્રાવકધર્મના અતિચારોનું પ્રતિક્રમણ કરવા ઇચ્છું છું,’ તેમ જણાવે છે. આ ગાથા બોલનાર (પ્રતિક્રમણ કરનાર) સાધક પોતે આ પદોના ઉચ્ચારણ